બ્રેકિંગ ન્યુઝ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / બરવાળા શહેરની મધ્યમાં બિરાજે છે મા અંબા, મુસ્લિમ બિરાદરોની પણ આસ્થા અતૂટ, માડીના પરચા અપાર
Last Updated: 07:04 AM, 8 May 2024
બરવાળા શહેરની મધ્યમાં અંબાજી માતાજીનુ મંદિર આવેલુ છે. બરવાળાના શહેરીજનો પહેલા અંબાજી માતાના દર્શન કરે છે પછી જ પોતાના ધંધા રોજગાર શરૂ કરે છે. શહેરીજનો અને આસપાસના ગામવાસીઓની અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે માં અંબાનુ મંદિર. બોટાદ જિલ્લાના બરવાળા શહેરની મધ્યે અંબાજી મંદિર આવેલું છે. માતાજીના મંદિર સાથે શહેરીજનોની તેમજ આસપાસના ગામોના લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. મંદિરે અઢારેય જ્ઞાતિ ના લોકો દરરોજ માતાજીના શરણે માથું નમાવી માતાજીના દર્શન કરીને જ પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બરવાળા શહેરની મધ્યમાં અંબાજી માતાજીનુ મંદિર
નવરાત્રીમાં અંબાજીમાતાના દર્શન કરવા દૂરદૂરથી દર્શનાર્થીઓ મંદિરે આવે છે.શ્રદ્ધાથી કોઈપણ માણસ માતાજીને પાર્થના કરે તો તેની પ્રાર્થનાનો સ્વીકાર કરી માં અંબા તેને આશીર્વાદ આપે છે. બરવાળાના કેટલાય મુસ્લિમો પણ માતાજીમા અતૂટ શ્રધ્ધા રાખે છે અને માતાજીના દર્શને આવે છે માતાજીનુ મંદિર શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સાથે કોમી એખલાસતાનુ પણ કેન્દ્ર છે.
અંબાજીના દર્શન બાદ ધંધા રોજગાર શરૂ કરે છે શહેરીજનો
બરવાળા શહેર વતની વણીક વ્રજલાલ પોપટલાલ બાબરીયા ધંધા માટે મુંબઈ ગયા તે સમયે અંબાજી માતાને તેમણે પ્રાર્થના કરી સંકલ્પ કર્યો હતો કે મારા ધંધામાં વિકાસ થશે ત્યારે બરવાળામાં ભવ્ય મંદિર બનાવીશ અને સમય જતા ધંધામાં વિકાસ થયો ત્યારે વ્રજલાલભાઈએ તેમના દિકરા અને પરીવારને પોતાના સંકલ્પ વિશે વાત કરતાં તેમના પરીવારજનોએ મંદિર બનાવવાનું નક્કી કર્યું અને 10મી જુલાઈ 2001મા મંદિરની સ્થાપના કરી અને આજે ભવ્ય મંદિર બન્યું છે જે અંબાજી ધામ તરીકે ઓળખાય છે. બરવાળામાં આવેલા અંબાજી મંદિર મા પ્રથમ માતાજીની મૂર્તિના દર્શન કરો એટલે આબેહૂબ માતાજીના દર્શન કર્યા હોય તેવો અહેસાસ થાય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પારેવાને જુવાર, દર વર્ષે ઉનાળામાં મફત છાશ વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
પરીવારજનોએ મંદિર બનાવવાનું નક્કી કર્યું
બરવાળા શહેરમાં આવેલ અંબાજી મંદિરની ખાસ વિશેષતા એ છે કે નવરાત્રી મા દરેક માતાજીના મંદિરે ગરબાની રમઝટ બોલતી હોય છે અને નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે અંબાજી મંદિરે નવરાત્રીમાં ગરબા યોજાતા નથી. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી અલગ અલગ પ્રકારના લાઈટ ડેકોરેશન, અલગ અલગ ધાર્મિક ફ્લોટો, પાવાગઢ ડુંગરની કૃતિ બનાવવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો નવ દિવસ સુધી ડેકોરેશન અને માતાજીના દર્શન કરવા આવતા હોય છે. બોટાદ જિલ્લાના બરવાળા શહેરની મધ્યમાં આવેલ અંબાજી મંદિર એટલે અંબાજી ધામ કે જ્યાં બરવાળા ના શહેરીજનો તેમજ આસપાસના ગામોના લોકોનો માતાજી પર અતુટ શ્રધ્ધા ધરાવે છે અને જેથી તમામ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT