બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / મનોરંજન / બોલિવૂડ / Nana Patekar loses his temper on Naseeruddin: Asks harsh question on nationalism, says Sanjay Leela Bhansali was also attacked
Megha
Last Updated: 10:55 AM, 15 September 2023
Nana Patekar vs Naseeruddin Shah: બોલિવૂડ એક્ટર નસીરુદ્દીન શાહના તીખા શબ્દો સાંભળીને લોકો ઘણી વખત ચોંકી જાય છે. તાજેતરમાં જ અભિનેતાએ 'ધ કાશ્મીર ફાઇલ્સ', 'ધ કેરલા સ્ટોરી' અને 'ગદર 2' જેવી ફિલ્મોની લોકપ્રિયતાને 'પરેશાન કરનાર' ગણાવી હતી. આ નિવેદન પર વિવેક અગ્નિહોત્રીએ અગાઉ પ્રતિક્રિયા આપી હતી. હવે અભિનેતા નાના પાટેકરે તેમની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે.
Nana patekar, Befitting reply to Naseeruddin Shah 👍✌🏻 pic.twitter.com/emJsHlHg1o
— Amit Kumar (@AMIT_GUJJU) September 13, 2023
નાના પાટેકરે નસીરુદ્દીન શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપી
નાના પાટેકરે ગદર 2, ધ કેરલા સ્ટોરી અને ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો પર નસીરુદ્દીન શાહની ટિપ્પણીઓ પર તેમના મંતવ્યો શેર કરતાં કહ્યું કે, ' હું નસીર સાથે બિલકુલ સહમત નથી. નસીરને પૂછો કે રાષ્ટ્રવાદનો અર્થ શું છે. હું નસીરને પૂછવા માંગુ છું, તેમના મતે રાષ્ટ્રવાદની વ્યાખ્યા શું છે? આપણા દલિતો, મુસ્લિમો અને હિંદુઓ બધા રાષ્ટ્રવાદી છે. તમારા દેશ માટે તમારો પ્રેમ દર્શાવવો એ ખરાબ વાત નથી, આ રાષ્ટ્રવાદ છે. '
સત્ય ઘટના પર ફિલ્મ બનાવીએ ત્યારે બધું જ સાચું બતાવવું જોઈએ
આગળ વાત કરતાં એમને કહ્યું હતું કે, 'હવે ગદર જે પ્રકારની ફિલ્મ છે તો ફિલ્મમાં એવી જ વાત થશે. મેં ધ કેરાલા સ્ટોરી ફિલ્મ જોઈ નથી. નસીરે જે ફિલ્મોમાં કામ કર્યું છે tએ તમામ ફિલ્મોના મુદ્દાઓ વિશે મારે નસીર સાથે વાત કરવી જોઈએ? જ્યારે પણ હું કોઈ ફિલ્મ કરું છું ત્યારે મને મારા વિષયો ખબર છે. રાષ્ટ્રવાદના નામે મોટો સોદો કરીને પૈસા કમાવવા એ પણ ખોટું છે. મૂવીમાં વસ્તુઓ જેવી છે તેવી જ બતાવવી જોઈએ. જો ડોક્યુમેન્ટરી હોય તો ડોક્યુમેન્ટરી બતાવો. જ્યારે આપણે કોઈ સત્ય ઘટના પર ફિલ્મ બનાવીએ ત્યારે બધું જ સાચું બતાવવું જોઈએ, નહીંતર જો તે ખોટી બતાવવામાં આવશે તો લોકો પ્રશ્ન કરશે કે તે ખોટું કેવી રીતે બતાવવામાં આવ્યું?'
નાના પાટેકરે સંજય લીલા ભણસાલીનો ક્લાસ લગાવી
નાના પાટેકરે આગળ કહ્યું કે રાષ્ટ્રવાદના નામે લોકો માટે પૈસા કમાવવા એ યોગ્ય નથી અને સત્ય ઘટનાઓ પર ફિલ્મો બનાવતી વખતે વ્યક્તિએ હંમેશા તથ્યો પર સાચા રહેવું જોઈએ. નાનાએ ખાસ કરીને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની'ને લઈને કહ્યું કે ફિલ્મનું ગીત 'મલ્હારી' સાંભળીને તે નિરાશ થઈ ગયો હતો અને ડિરેક્ટરને ફોન કરીને કહ્યું, 'મેં સંજયને સીધો ફોન કર્યો અને પૂછ્યું કે 'વાટ લાવલી' શું હોય છે?' લોકો શું વિચારે છે તેની મને પરવા નથી. મને જે ન ગમ્યું તે મેં સીધું કહી દીધું.
Karan Johar the king of forcing this on us. Constantly launching undeserving Nepo kids and worst than mediocre movies produced. They pay the boycott to make the movie hit at least on Twitter.
— Curly Jeevi (@curlykrazy07) September 14, 2023
Nana Patekar spiting facts 🔥🔥pic.twitter.com/Wt8KnNU8df
નાના પાટેકરે અગાઉ 'ધ વેક્સીન વોર'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં તેમનું નામ લીધા વિના શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું કે તે ફિલ્મ જોવા બેઠો પણ તે સહન ન થઈ શકી. આ સાથે જ એમને બોલિવૂડમાં નેપોટીઝમ અને નેપોકિડ્સ પર પણ કટાક્ષ કરતાં કહ્યું કે, એમને એક્ટિંગ ન આવડતી હોય તો પણ લોકો તેને દર્શકો પર થોપી દે છે અને જોવા માટે દબાણ કરે છે.
નસીરુદ્દીન શાહે બોલિવૂડ ફિલ્મોને લઈને આપ્યું હતું આ નિવેદન
હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન નસીરુદ્દીન શાહે બોલિવૂડમાં અત્યારે કઈ પ્રકારની ફિલ્મો બની રહી છે તેના વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, “હવે તમે જેટલા વધુ અંધભક્ત હશો, તેટલા તમે લોકપ્રિય થશો કારણ કે તે જ આ દેશ પર શાસન કરે છે. તમારા દેશને પ્રેમ કરવો પૂરતો નથી તમારે કાલ્પનિક દુશ્મનો પણ બનાવવા પડશે. પણ આ લોકોને ખ્યાલ નથી કે તેઓ જે કરી રહ્યા છે તે ખૂબ નુકસાનકારક છે. વાસ્તવમાં, કેરલા સ્ટોરી અને ગદર 2 જેવી ફિલ્મો મેં જોઈ નથી, પરંતુ હું જાણું છું કે તે શેના વિશે છે, તે ચિંતાજનક છે કે કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો ખૂબ જ લોકપ્રિય છે, જ્યારે સુધીર મિશ્રા, અનુભવ સિન્હા અને હંસલ મહેતા દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મોમાં, જેઓ તેમના સમયની વાસ્તવિકતા દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ણએ કોઈ જોતું નથી. પરંતુ તે મહત્વનું છે કે આ ફિલ્મ નિર્માતાઓ હિંમત ન હારે અને વાર્તાઓ કહેવાનું ચાલુ રાખે.”
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir