બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ધર્મ / mumba-devi-temple-the-famous-temple-in-mumbai

આસ્થા / મુંબઇ વાસીઓને ધનવાન બનાવી રાખે છે આ દેવી, દિવસ સાથે બદલાય છે તેમણુ વાહન

vtvAdmin

Last Updated: 03:04 PM, 12 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની આર્થિક રાજધાની અને સપનાનું શહેર કહેવાય છે મુંબઇ. આ શહેરમાં પોતાનું સ્થાન મેળવવાનું આકર્ષણ દેશના લોકોની સાથે વિદેશીઓમાં પણ જોવા મળે છે. બોલિવુડમાં સતત વધતી વિદેશી કલાકારોની સંખ્યા આ વાતની સાબિતી આપે છે. મુંબઇ શહેર વસ્યુ ત્યારે શરૂઆતમાં અહીં માછીમારોની વસ્તી હતી. આ શહેરે જે સ્થાન આજે મેળવ્યુ છે, તેમાં મુંબા દેવાની કૃપા માનવામાં આવે છે.

આજેનું ઝળહળતું મુંબઈ શહેર એક જમાનામાં ઉજ્જડ હતું. પછી અહીં માછીમારો આવીને વસ્યા.માછીમારોએ સમુદ્રમાં આવતા તોફાનથી બચાવા માટે એક દેવીના મંદિરની સ્થાપના કરીને જેને મુંબા દેવીના નામથી ઓળખવામાં આવે છે. મુંબા દેવીના નામ પરથી તો મુંબઇ શહેરનું નામકરણ થયુ. 

મુંબા દેવીને ધન અને ઐશ્વર્યની દેવી મા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે.  . આસ્થા છે કે આ માતાની કૃપાના લીધે જ મુંબઈ દેશની આર્થિક રાજધાની બની શક્યુ છે.મા મુંબા દેવીને મુંબઈની ગ્રામદેવી તરીકે પૂજવામાં આવે છે. અહી દરેક શુભ કામ કરતા પહેલા માતાજીની પૂજા-અર્ચના કરી  આશીર્વાદ લેવામાં આવે છે. 

મા મુંબાનું વાહન દરરોજ બદલાય છે. કહેવાય છે કે દિવસ પ્રમાણે વાહનની પસંદગી થાય છે. સોમવારે મા નંદી પર સવાર થાય છે. તો મંગળવારે હાથીની સવારી કરે છે. બુધવારે કૂકડો તો ગુરુવારે ગરુડ પર મા સવાર થાય છે. શુક્રવારે સફેદ હંસ પર તો શનિવારે ફરીથી હાથીની સવારી કરે છે. તો રવિવારે માતાનું વાહન સિંહ હોય છે. 

મા મુંબા દરરોજ જે વાહનો પર સવારી કરે છે તેનું નિર્માણ ચાંદીથી કરાવાયુ છે. આ મંદિરમાં દરરોજ 6 વખત આરતી થાય છે. આરતીનો સમય અલગ-અલગ છે. આ દરમિયાન મંદિરની ભવ્યતા જોવા જેવી હોય છે. 

મા મુંબા દેવીના દર્શન માટે દૂર-દૂરથી લોકો આવે છે. શ્રદ્ધાળુઓ મા પાસે સાચા મનથી જે માનતા માને છે. તે મુંબા દેવી પૂરી કરે છે. અહીં સિક્કા પર લાકડીથી ખીલી ઠોકીને બાધા રાખવામાં આવે છે. દર મંગળવારે મુંબા દેવીના દર્શનને વિશેષ માનવામાં આવે છે. આ દિવસે  અહીં ખૂબ ભીડ હોય છે. 

એક લોકવાયકા અનુસાર, અષ્ટભુજા મા મુંબા દેવીને બ્રહ્માજીએ પોતાની શક્તિથી પ્રગટ કર્યા છે. જ્યારે સ્થાનિક લોકોએ મુંબારક નામના એક રાક્ષસથી પરેશાન થઇને બ્રહ્માજીને પ્રાર્થના કરી તો તેમણે મુંબા દેવીને પ્રગટ કરી રાક્ષસનો સંહાર કરાવ્યો. ત્યાર બાદ માના એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને મુંબારકનો સંહાર કરનારી માતાનું નામ મુંબા દેવી રાખવામાં આવ્યુ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ