બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
VTV / સ્પોર્ટસ / Cricket / ms dhoni met with fans after practice session cancels due to amid coronavirus
Juhi
Last Updated: 06:02 PM, 15 March 2020
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોનીના ચેન્નાઇ છોડવાના કારણે તેના ફેન્સની આંખોમાં પાણી આવી ગયા હતા. જોકે હવે ધોની ક્યારે પરત ફરશે તે અંગે કોઇ માહિતી સામે આવી નથી.
ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK) ના કેપ્ટન ચેન્નાઇની પરત જવાના નિર્ણય પર ટીમ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યુ છે. ટીમના ટ્વીટર હેન્ડલ પર ધોનીનો વીડિયો શૅર કરીને લખવામાં આવ્યુ છે કે, ''સર આ તમારું ઘર બની ગયું છે. થલા, ધોની પોતાની ગુફાને અલવિદા કહીને પરત જઇ રહ્યા છે.''
"It has become your home sir!" Keep whistling, as #Thala Dhoni bids a short adieu to #AnbuDen. 🦁💛 pic.twitter.com/XUx3Lw4cpH
— Chennai Super Kings (@ChennaiIPL) March 14, 2020
ઉલ્લેખનીય છે કે, 13મી સિઝનની શરૂઆત પહેલા ધોની પ્રેક્ટિસ માટે 2 માર્ચે ચેન્નાઇ પહોંચી ગયો હતો. ધોનીએ એક મહિના પહેલાથી જ ટૂર્નામેન્ટ માટે તૈયારી શરૂ કરી દીધી હતી. કેપ્ટન કૂલ બેટિંગની સાથે વિકેટકીપિંગ માટે પણ પ્રેક્ટિસ કરતો નજર પડ્યો હતો, જે તેના સ્વભાવથી વિપરિત છે.
નોંધનીય છે કે, આ પાછળનું કારણ ધોનીનું ટીમમાં કમબેક થાય તે માટે કરવામા આવી રહ્યુ છે. સામાન્ય રીતે ધોની નેટમાં વિકેટ કિપિંગ માટે પ્રેક્ટિસ કરતો જોવા મળતો નથી.
તો બીજી તરફ BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ને કોરોનાવાઇરસના કારણે પોસ્ટપોન્ડ કરી છે. ટૂર્નામેન્ટ હવે 29 માર્ચની જગ્યાએ 15 એપ્રિલે શરૂ થશે. ફ્રેન્ચાઈઝને આ અંગે જાણકારી આપવામાં આવી છે. BCCIના એક અધિકારીએ એક ન્યુઝ ચેનલને કહ્યું કે, ટૂર્નામેન્ટ યોજાવવાની આ જ સાચી રીત છે. આ પહેલા કેન્દ્ર સરકારે 13 માર્ચથી 15 એપ્રિલ સુધી તમામ વિઝા રદ્દ કરી દીધા છે. માત્ર ડિપ્લોમૅટિક અને એમ્પ્લોયમેન્ટ વિઝાને જ મંજૂરી આપવામાં આવી છે. ખેલાડીઓને બિઝનેસ વિઝા મળે છે. તેવામાં તેઓ ભારત આવી શકે નહીં. 8 ટીમોના કુલ 60 વિદેશી ખેલાડીઓ 15 એપ્રિલ સુધી ભારત આવી શકશે નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ