બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / MP Mansukh Vasava attacked Aadmi Party in Sankalp Yatra
Priyakant
Last Updated: 03:25 PM, 9 December 2023
Mansukh Vasava Statement : ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. વાત જાણે એમ છે કે, ડેડીયાપાડાના ગંગાપુર ખાતે સંકલ્પ યાત્રામાં જાહેર કાર્યક્રમમાં મનસુખ વસાવાએ AAP પર આક્ષેપ કર્યા છે. AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ તેમણે કહ્યું કે, આજે પણ ચૈતર વસાવા ભૂગર્ભમાં છે. જો સાચા હોય તો હાજર થાવ. આ સાથે કહ્યું કે, આપ દ્વારા દીકરીઓનો સહારો લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવે છે. એક પોસ્ટમાં કહેવામાં આવ્યું કે, સાંસદ મનસુખ વસાવા ડરી ગયા. મનસુખ વસાવાએ કહ્યું કે, હું હિન્દુસ્તાનમાં કોઈનાથી ડરતો નથી.
સંકલ્પ યાત્રામાં સાંસદે કર્યા આપ પર પ્રહાર
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, આપ પાર્ટી એ જૂઠા લોકોની પાર્ટી છે. મનસુખ વસાવાએ કહ્યું કે, મર્દ હોય તો સામી છાતીએ આવો ને દીકરીઓ ને શું કામ સોશિયલ મીડિયામાં મૂકો છો. એક મહિલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી કે, સાંસદ ડરી ગયા, મનસુખ વસાવા ચૈતર વસાવાથી ડરી ગયા. જેના જવાબમાં મનસુખ વસાવાએ કહ્યું કે, સાંસદ મનસુખ વસાવા આખા હિન્દુસ્તાનમાં કોઈ થી ડરતો નથી અને ડરશે નહિ.
વસાવા અટક કાઢી મોદી અટક ને લઈ શું કહ્યું ?
મનસુખ વસાવાએ કહ્યું કે, પોસ્ટમાં કહ્યું કે, મનસુખ વસાવાએ વસાવા અટક કાઢી મોદી અટક લખવી જોઈએ. જેને લઈ મનસુખ વસાવાએ કહ્યું કે, હું મૂળ આદિવાસી છુ કેમ અટક બદલું ભાઈ ? આ સાથે તેમણે કહ્યું કે, ઇસુદાન અને કેજરીવાલ મહિલાઓ પાસે પોસ્ટ મુકાવી મહિલાઓનો ઉપયોગ કરે છે. તાકાત હોયતો આવો મેદાનમાં ચૂંટણી જંગમાં બતાવી દવ. ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ કહ્યું કે, જો સાચા છે તો છુપાઈને કેમ ફરો છો ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh