બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Most of the people suffer from constipation in winter
Pooja Khunti
Last Updated: 12:18 PM, 12 January 2024
શિયાળામાં લોકો હલવા, કચોરી, પકોડા, તળેલું, તીખું, વગેરે ખાવાનું પસંદ કરે છે. આ સાથે શાકભાજી અને ફળોનું સેવન ઘટી જાય છે. ઠંડીનાં કારણે લોકો શારીરિક પ્રવૃતિઓ પણ ઓછી કરી દે છે અથવા બિલકુલ બંધ કરી દે છે. આ બધાની અસર રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. જેના કારણે બિમારીઓનું જોખમ વધી જાય છે. શિયાળામાં પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન ન કરવાના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા થવા લાગે છે.
શિયાળામાં કબજિયાતની સમસ્યા કેમ વધી જાય છે?
પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન ન થવું
શિયાળાની ઋતુમાં તાપમાન એટલું ઓછું રહે છે કે લોકો પાણી પીવાનું ભૂલી જાય છે. અથવા બહુ ઓછું પાણી પીવું પસંદ કરે છે. આ સાથે લોકો મોટાભાગે જ્યુસ, છાશ વગેરેનું સેવન પણ ઓછું કરી દે છે. આ જ કારણ છે કે શરીર હાઇડ્રેટ નથી રહેતું. જેના કારણે આંતરડામાં લુબ્રિકેશનનો અભાવ થાય છે અને કબજિયાતની સમસ્યા થાય છે.
કેફીનનું વધુ સેવન
શિયાળામાં લોકો ચા-કોફીનું સેવન ખુબ પસંદ કરે છે. તેનાથી શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે પણ કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
ફાયબરનું સેવન ઘટી જવું
લોકો શિયાળામાં હલવા, કચોરી, પકોડા વગેરે વસ્તુઓનું સેવન કરે છે. આ પચાવવું થોડું મુશ્કેલ થઈ જાય છે. આ સાથે લોકો ફળ અને શાકભાજીનું સેવન ઘટાડી દે છે. જેના કારણે શરીરમાં ફાયબર ઘટી જાય છે. ફાયબરની ઉણપ પાંચન પ્રક્રિયાને અસર કરે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
શારીરિક પ્રવૃતિ ઓછી થવી
શિયાળામાં લોકો કસરત, યોગ, ચાલવા જવું, વગેરે જેવી અનેક શારીરિક પ્રવૃતિઓ ઓછી કરી દે છે અથવા બિલકુલ બંધ જ કરી દે છે. જેની સીધી અસર પાંચન તંત્ર પર પડે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
વાંચવા જેવું: રસોઈ બનાવો ત્યારે જમવામાં નાંખી દો આ એક વસ્તુ: ના ગેસ થશે, ના અપચો, પેટની સમસ્યાઓનો આવશે અંત
વધુ પડતી દવાઓનું સેવન
શિયાળામાં બિમારીઓનું જોખમ વધી જાય છે. જેમકે શરદી, ઉધરસ, કફ, તાવ અને સાંધાનો દુ:ખાવો. જેથી લોકો દવાનું સેવન કરતાં હોય છે. ઘણી વાર આ દવાઓનાં કારણે પણ કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime