બ્રેકિંગ ન્યુઝ
ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ
રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ
અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ
નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત
અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા
PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ
'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન
ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો
મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો
Hiralal
Last Updated: 05:31 PM, 24 February 2024
ગુજરાત સહિત આખા દેશમાંથી મોટી સંખ્યામાં લોકો દેવભૂમિ ફરવા જતાં હોય છે પરંતુ તાજેતરમાં સામે આવેલા આંકડાઓ હેરાન કરી મૂકે તેવા છે. ઉત્તરાખંડમાં 2022ના વર્ષમાં ઘણા એક્સિડન્ટમાં 900થી વધુ લોકોના મોત થયાં છે જે ધ્રુજાવી મૂકે તેવા છે.
ADVERTISEMENT
કેવી રીતે થયાં એક્સિડન્ટ
ઉત્તરાખંડમાં વરસાદ, ધુમ્મસ, અને કરા પડવા તથા ખીણમાં વાહનો ખાબકવા જેવી ઘટના બની હતી પરંતુ સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે જ્યારે હવામાન સ્વચ્છ અને સાફ હતું ત્યારે સૌથી વધારે એક્સિડન્ટ થયાં હતા. ખરાબ હવામાનમાં ઓછા એક્સિડન્ટ થયાં હતા. 2022ના આંકડાના આધારે કરવામાં આવેલા સર્વેના હાલમાં જ જાહેર થયેલા રિપોર્ટમાં આ તસવીર સામે આવી છે. 2022 માં 1674 માર્ગ અકસ્માતોના અભ્યાસ માટે, પરિવહન વિભાગે તેમને પાંચ કેટેગરીમાં વહેંચ્યા હતા. તેમાં જે આંકડા સામે આવ્યા છે તે પણ ઓછા ચોંકાવનારા નથી. સૌથી વધુ 1472અકસ્માતો એવા દિવસોમાં થયા હતા જ્યારે હવામાન ચોખ્ખું અને સૂર્યપ્રકાશવાળું હતું. આ અકસ્માતોમાં 917 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 1388 લોકો ઘાયલ થયા હતા.
વધુ વાંચો : લાશોથી ભરાયું તળાવ ! ગંગા સ્નાન માટે જઈ રહેલું ટ્રેક્ટર તળાવમાં ખાબકતાં 24 લોકોના મોત
ADVERTISEMENT
સાફ હવામાનમાં પણ ટાળો ઓવરસ્પીડ
ખરાબ હવામાનને કારણે, લોકો ઘણીવાર વાહન ચલાવવાનું ટાળે છે અથવા તો ખાસ સાવચેતી રાખે છે. જ્યારે વધુ લોકો સ્પષ્ટ હવામાન દરમિયાન તેમના ઘરની બહાર નીકળી જાય છે. આ સમય દરમિયાન વાહન ચલાવવામાં પણ બેદરકારી દાખવવામાં આવે છે. ઓવરસ્પીડ પણ આ અકસ્માતોનું એક મોટું કારણ છે. રાજ્યમાં થયેલા 1,674 અકસ્માતો પૈકી 1,325 અકસ્માતો પાછળ ઓવરસ્પીડિંગ કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં સારા હવામાન વખતે પણ ઓવરસ્પીડિંગ ટાળવું જોઈએ અને સાવચેતીથી વાહનો હાંકવા જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT