બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:54 PM, 15 May 2024
નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ 14 લોકોને નાગરિકતા મળી છે. આ લોકો પડોશી દેશોના ધાર્મિક અત્યાચારનો ભોગ બનીને ભારત આવ્યા હતા. આ કાયદા હેઠળ નાગરિકતા મેળવનારા આ પહેલા લોકો છે. ગૃહ મંત્રાલયે બુધવારે તેમને નાગરિકતા સંબંધિત દસ્તાવેજો સોંપ્યા અને તેમની અરજીને મંજૂરી આપી. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ આ લોકોને નાગરિકતાના દસ્તાવેજો આપ્યા અને તેમને અભિનંદન આપ્યા.
ADVERTISEMENT
NDA walks the talk on handing out a lifeline to those fleeing Islamist bigotry in India's neighborhood.
— Rahul Shivshankar (@RShivshankar) May 15, 2024
First CAA certificates handed out to 14 who fled Islamist terror in Pak, Bangladesh and Afghanistan. pic.twitter.com/z3YvZ35fIf
બે મહિનામાં ઘણા લોકોએ કરી નાગરિકતાની અરજી
ADVERTISEMENT
છેલ્લા બે મહિનામાં ગૃહ મંત્રાલયને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકો તરફથી ઘણી અરજીઓ મળી છે. આ લોકોમાં હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોનો સમાવેશ થાય છે. આ લોકો તેમના દેશ ધાર્મિક અત્યાચારનો ભોગ બન્યા બાદ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવ્યા છે. આ તમામ લોકો 31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવ્યા હતા.
#WATCH | Bhavna, one of the applicants who received citizenship certificate says, " I have got the citizenship today and I am feeling very happy, I can study further...I came here in 2014, and I was very happy when this (CAA) was passed...in Pakistan, we girls couldn't study and… https://t.co/HUmw3HqPzG pic.twitter.com/1tZrc8BoFF
— ANI (@ANI) May 15, 2024
11 માર્ચે અમલમાં આવ્યો હતો કાયદો
નાગરિકતા સંશોધન કાયદો આ વર્ષે 11 માર્ચે લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા અરજીની વિચારણા કરવામાં આવે છે. આ પછી મામલો રાજ્ય સ્તરના એમ્પાવર્ડ ગ્રુપ પાસે જાય છે. તેમની પાસેથી મંજૂરી મળ્યા બાદ આ અંગેનો નિર્ણય ગૃહ મંત્રાલય લે છે. આ કાયદાના અમલ પછી પણ બંગાળના સીએમ મમતા બેનરજીને આ કાયદાને પડકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે જો CAA ભારતીય નાગરિકોના અધિકારો પર કોઈ અસર કરશે, તો તે તેની સામે ઊભા રહેશે. આ કાયદા અનુસાર ત્રણ પાડોશી દેશોમાંથી આવતા હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા મળશે.
નાગરિકતા માટે કેવી રીતે અરજી કરવી
ભારતની નાગરિકતા લેવા માગતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકોએ સરકારને સંબોધીને અરજી કરવાની હોય છે. આ અરજી ઓનલાઈન સબમિટ કરવામાં આવે છે. આ સાથે તેઓ જે દેશમાંથી સ્થળાંતર કરીને આવ્યા છે તેના દસ્તાવેજો પણ બતાવવાના રહેશે. ખાસ કરીને ત્યાંની નાગરિકતા સાબિત કરતા દસ્તાવેજો બતાવવાના રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.