બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / Mohammed Muizu's arrogance gone, demands loan concession from India amid tensions
Last Updated: 12:24 AM, 23 March 2024
માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદથી મોહમ્મદ મુઈઝુ ભારત વિરોધી વલણ જાળવી રહ્યા છે. પરંતુ હવે ભારત પ્રત્યે તેમનું વલણ નરમ જણાય છે. મોહમ્મદ મુઈઝુએ હવે સમાધાનકારી વલણ અપનાવ્યું અને કહ્યું કે ભારત તેમના દેશનો નજીકનો સાથી રહેશે. આટલું જ નહીં, તેણે ભારત પાસેથી લોનમાં છૂટની માંગ પણ કરી છે. ગયા વર્ષના અંત સુધીમાં માલદીવ પર ભારતનું આશરે 409 મિલિયન યુએસ ડોલરનું દેવું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદથી ચીન તરફી માલદીવિયન નેતા મુઇઝુએ ભારત પ્રત્યે કડક વલણ અપનાવ્યું હતું અને માંગ કરી હતી કે ત્રણ ઉડ્ડયન પ્લેટફોર્મ ચલાવતા ભારતીય સૈન્ય કર્મચારીઓને 10 મે સુધીમાં તેમના દેશમાંથી પાછા મોકલવામાં આવે.
ADVERTISEMENT

કાર્યભાર સંભાળ્યા બાદ ગુરુવારે સ્થાનિક મીડિયા સાથેની તેમની પ્રથમ મુલાકાતમાં મુઇઝુએ જણાવ્યું હતું કે ભારતે માલદીવને સહાય પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને સૌથી વધુ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા હતા. માલદીવના ન્યૂઝ પોર્ટલના સમાચાર અનુસાર મુઈઝુએ કહ્યું કે ભારત માલદીવનું નજીકનું સાથી રહેશે અને તેમાં કોઈ શંકા નથી. ભારત છેલ્લા કેટલાક વર્ષોથી માલદીવના લોકોને બે હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટ દ્વારા માનવતાવાદી અને તબીબી સેવાઓ પૂરી પાડી રહ્યું છે. મુઇઝુએ ભારતને સરકારો દ્વારા લેવામાં આવેલી જંગી લોનની ચુકવણીમાં માલદીવ માટે દેવા રાહતના પગલાંનો સમાવેશ કરવાની અપીલ કરી હતી. ભારત પ્રત્યે મુઈઝુની આ સકારાત્મક ટિપ્પણીઓ માલદીવમાં એપ્રિલના મધ્યમાં યોજાનારી સંસદીય ચૂંટણી પહેલા આવી છે. તેમણે કહ્યું કે માલદીવે ભારત પાસેથી મોટા પાયે લોન લીધી છે.
ADVERTISEMENT
લોન ચૂકવવાના વિકલ્પો
તેમણે કહ્યું કે, તેઓ હાલમાં માલદીવની આર્થિક ક્ષમતાઓ અનુસાર લોન ચૂકવવાના વિકલ્પો શોધવા માટે ભારત સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છે. ડિસેમ્બર 2023માં દુબઈમાં COP28 સમિટ દરમિયાન દુબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની ચર્ચાનો ઉલ્લેખ કરતા મુઈઝુએ કહ્યું, મેં અમારી મીટિંગ દરમિયાન વડાપ્રધાન મોદીને પણ કહ્યું હતું કે મારો કોઈ પ્રોજેક્ટ રોકવાનો ઈરાદો નથી. તેના બદલે, મેં તેમને ઝડપી બનાવવાની મારી ઇચ્છા વ્યક્ત કરી.
ADVERTISEMENT
વધુ વાંચો : રશિયાના મોસ્કોમાં મોટો આતંકી હુમલો, શોપિંગ મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, 15ના મોત, 35થી વધુ ઘાયલ
ભારતીય સૈન્ય કર્મચારીઓ વિશેના પ્રશ્નના જવાબમાં મુઈઝુએ માલદીવમાં ભારતીય સૈન્યની હાજરીને લઈને ભારત સાથેના વિવાદનો આ એકમાત્ર મામલો ગણાવ્યો અને કહ્યું કે ભારતે પણ આ હકીકત સ્વીકારી છે અને સૈન્ય કર્મચારીઓને પાછા બોલાવવા માટે સંમતિ આપી છે. તેમણે કહ્યું કે, એક દેશથી બીજા દેશને આપવામાં આવતી મદદને નકારવી અથવા તેની અવગણના કરવી યોગ્ય નથી. તેમણે દાવો કર્યો હતો કે તેમણે એવું કોઈ પગલું ભર્યું નથી કે એવું કોઈ નિવેદન આપ્યું નથી જેનાથી બંને દેશોના સંબંધોમાં તણાવ ઊભો થાય. મુઇઝુએ કહ્યું કે તેમની સરકારે માલદીવમાં ભારતીય સેનાના મુદ્દાને ઉકેલવા માટે ચર્ચા દ્વારા સમજદાર ઉકેલ શોધવાનું કામ કર્યું છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.