બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Minerals are essential to keep the body strong and healthy for a long time
Pooja Khunti
Last Updated: 02:19 PM, 17 December 2023
શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિનની સાથે મિનરલ્સનું સેવન પણ કરવું જોઈએ. મિનરલ્સની ઉણપનાં કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે. શરીરનાં દરેક ભાગની કામગીરી માટે મિનરલ્સ ખૂબજ જરૂરી છે.
ઝીંક
આ એક એવું મિનરલ્સ છે જેની ઉણપનાં કારણે રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર થઈ શકે. શરીરને મજબૂત બનાવવા અને સંક્રમણથી બચાવવા માટે ઝીંક ખૂબજ જરૂરી છે. ઝીંકની ઉણપનાં કારણે શરીરની નવી કોશિકાઓનું નિર્માણ ઓછું થવા લાગે છે. આ સ્થિતિમાં, રોગપ્રતિકારક ક્ષમતા પર સૌથી વધુ અસર પડે છે. ઝીંકની ઉણપનાં કારણે વાળ જલ્દીથી ખરવા લાગે છે.
આયર્ન
શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે આયર્નની પૂરતી માત્રા લેવી જોઈએ. આયર્ન હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખે છે. આ કારણે તમામ કોશિકાઓને ઑક્સીજન સરખી રીતે પૂરું પાડવામાં આવે છે. આયર્નની ઉણપનાં કારણે હિમોગ્લોબિનનું સ્તર ઓછું થઈ જાય છે. એનીમિયા જેવી ગંભીર બીમારી પણ થઈ શકે.
કેલ્શિયમ
હાડકાંને મજબૂત બનાવવા માટે સૌથી જરૂરી કેલ્શિયમ હોય છે. કેલ્શિયમનું કામ સૂચનાઓને મગજથી શરીરનાં અન્ય ભાગો સુધી પહોંચાડવાનું છે. જે લોકોનાં શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ જાય છે તેમનાં હાડકાંનાં વિકાસ પર ખરાબ અસર જોવા મળે છે. મગજ માટે કેલ્શિયમ ખૂબજ જરૂરી છે. કેલ્શિયમની ઉણપનાં કારણે દાંતની સમસ્યાઓ જોવા મળે છે.
પોટેશિયમ
હ્રદયને સ્વસ્થ રાખવા માટે પોટેશિયમ મદદ કરે છે. આ મિનરલ્સ પાચન તંત્રને મજબૂત બનાવે અને પેટને સ્વસ્થ રાખે છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાં માટે પોટેશિયમ યુક્ત આહાર લેવો જોઈએ. આ શરીરનાં સર્વાંગી વિકાસ માટે ખૂબજ જરૂરી છે.
મેગ્નેશિયમ
હાડકાંને મજબૂત રાખવા અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે મેગ્નેશિયમ ખૂબજ જરૂરી હોય છે. મેગ્નેશિયમ શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે. ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે મેગ્નેશિયમ જરૂરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir