બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Manipur flares up again: 9 killed, many injured in fierce firing
Priyakant
Last Updated: 01:16 PM, 14 June 2023
હિંસાગ્રસ્ત મણિપુરથી ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મણિપુરમાં શાંતિ પ્રયાસોને ફરી એકવાર મોટો ફટકો પડ્યો છે. વિગતો મુજબ મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખામેનલોક વિસ્તારમાં તાજેતરની હિંસામાં નવ લોકોના મોત થયા છે. આ તરફ આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ સામે આવી છે.
સમાચાર એજન્સી ANI અનુસાર મંગળવારે (13 જૂન)ના રોજ ઉગ્રવાદીઓ દ્વારા અચાનક કરવામાં આવેલા ગોળીબારમાં 9 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન તોફાની તત્વોએ ખામેનલોક ગામના ઘણા ઘરોને પણ આગ લગાવી દીધી હતી. તામેંગલોંગ જિલ્લાના ગોબાજંગમાં પણ ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
Manipur | 9 people have been killed and 10 others injured in fresh violence this morning in Khamenlok area, Imphal East. Postmortem procedure underway: Shivkanta Singh, SP Imphal East
— ANI (@ANI) June 14, 2023
શું કહ્યું પોલીસ કમિશ્નરે ?
ઇમ્ફાલ પૂર્વના પોલીસ કમિશ્નર શિવકાંત સિંહે જણાવ્યું હતું કે, ખામેનલોક વિસ્તારમાં ફાટી નીકળેલી તાજેતરની હિંસામાં 9 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. જેને લઈ હવે મૃતકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ મૃત્યુ પામેલા નવ લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ઘણા ઘાયલોને સારવાર માટે ઈમ્ફાલ લઈ જવામાં આવ્યા છે.
पूर्वी इंफाल के खमेनलोक इलाके में आज सुबह ताजा हिंसा में नौ लोगों की मृत्यु हुई है और 10 लोग घायल हैं। पोस्टमॉर्टम प्रक्रिया चल रही है: शिवकांत सिंह, एसपी इंफाल पूर्व, मणिपुर
— ANI_HindiNews (@AHindinews) June 14, 2023
મૃતકોના શરીર પર ઇજાના નિશાન મળ્યા
વિગતો મુજબ હિંસામાં માર્યા ગયેલા ઘણા લોકોના શરીર પર ઈજાના નિશાન અને ગોળીઓના ઘા મળી આવ્યા છે. મણિપુરમાં તાજેતરની હિંસાએ રાજ્યમાં શાંતિના પ્રયાસોને મોટો ફટકો આપ્યો છે. હિંસાગ્રસ્ત મણિપુરમાં એક મહિનાથી વધુ સમયથી શાંતિ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનામતને લઈને મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે એક દિવસ પહેલા જ કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી. ખામેનલોક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત તણાવ હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો