બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Makar Sankranti 2024: donate these 14 things to needy, maa lakshmi will bless you

Makar Sankranti 2024 / ઉત્તરાયણ: કહેવાય છે કે સૌથી પહેલા રામ ભગવાને ચગાવ્યો હતો પતંગ, લક્ષ્મીજીના આશીર્વાદ લેવા કરો આ ઉપાય

Vaidehi

Last Updated: 02:15 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદૂ પંચાગ અનુસાર આ વર્ષે 15 જાન્યુઆરીનાં દિવસે મકર સંક્રાંતિનો પર્વ ઊજવવામાં આવશે. મકર સંક્રાંતિ પર 14નું વિશેષ મહત્વ હોય છે. તેવામાં આ દિવસે 14 શુભ કામ કરવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

  • હિંદૂ પંચાગમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ
  • આ દિવસે 14 ચીજોનાં દાનનું મહત્વ હોય છે
  • ગ્રહોની શાંતિ તેમજ માં લક્ષ્મીની પ્રસન્નતા મેળવવા માટે દાન કરવું

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરવર્ષે મકર સંક્રાંતિનો પર્વ 14 જાન્યુઆરીનાં રોજ ઊજવવામાં આવે છે પણ હિંદૂ પંચાગ અનુસાર આ વખતે સૂર્યની મકર રાશિમાં સંક્રાંતિ 15 જાન્યુઆરીનાં રોજ થવાની છે. મકર સંક્રાંતિને અત્યંત શુભ પર્વ માનવામાં આવે છે અને આ દિવસથી શુભ અને માંગલિક કાર્ય કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ 14 સુહાગણની સામગ્રીઓ અથવા તો 14 ગરમ કપડાંનું દાન જરૂરિયાતમંદ અને ગરીબોનું દાન કરે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે આ દિવસે 14 ચીજોનું શું વિશેષ મહત્વ હોય છે?

શ્રીરામ સાથે જોડાયેલી પતંગની માન્યતા: 

ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં પતંગ ચગાવવાનું ખાસ મહત્વ છે. એવામાં આ પરંપરાનો ઉલ્લેખ રામાયણકાળમાં પણ જોવા મળે છે. એવી માન્યતા છે કે ભગવાન રામે જ સૌથી પહેલા પતંગ ચગાવી હતી. તુલસીદાસજી દ્વારા રચિત રામચરિત માનસમાં રામજી બાલ્યકાળનું વર્ણન છે જેમાં કહેવામાં આવ્યું છે કે શ્રીરામજીએ પતંગ ઉડાવી હતી. 

ચોપાઈ
राम इक दिन चंग उड़ाई।
इंद्रलोक में पहुंची जाई।।

તમિલ રામાયણમાં પણ આવો જ ઉલ્લેખ છે કે ભગવાન શ્રી રામે પતંગ ચગાવ્યો એ ઈન્દ્રલોક સુધી પહોંચી હતી. પતંગ જોઈને ઈન્દ્રદેવના પુત્રના પત્ની જયંતી વિચારવા લાગ્યા કે જેમની પતંગ આટલી સુંદર છે એ પોતે કેટલા સુંદર હશે. ભગવાન રામના દર્શન કરવાની ઈચ્છા સાથે તેમણે પતંગ પોતાની પાસે જ રાખી લીધી. 

વધુ વાંચો: આ દિવસે ચપ્પલ-બુટ ખરીદતા પહેલા 100 વાર વિચારજો! 90 ટકા લોકો કરે છે ભૂલ, શનિ દોષ થતાં અશુભ ઘડી આવશે

14 ચીજોનું શું મહત્વ?
ધાર્મિક માન્યતા છે કે મકર સંક્રાંતિનાં દિવસે 14 વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે એવી 14 વસ્તુઓનું દાન જરૂરિયાતમંદોને કરવું જોઈએ જે તેમને કામ આવે. જ્યોતિષ વિશેષજ્ઞો અનુસાર 7 ગ્રહો અને 2 પક્ષ હોય છે. તેથી ગ્રહોની સંખ્યાને બેગણી કરીને 14 ચીજોનું દાન કરવામાં આવે છે. આવું કરવાથી જીવનનાં કષ્ટ દૂર થાય છે. 

મકર સંક્રાંતિ પર આ 14 કામ કરવાં

  1. નદીમાં સ્નાન કરવું
  2. ગાયને ચારો આપવો
  3. તલથી શ્રી સૂક્તનો હવન
  4. પતંગ ચગાવવાં- કારણકે તેની શરૂઆત ભગવાન શ્રીરામે કરી હતી. માન્યતા અનુસાર આ પતંગ ઈંદ્રલોક સુધી પહોંચી હતી.
  5. તલ-ગોડનું સેવન
  6. દાન કરવું
  7. ખીચડીનો ભોગ- તેના સેવન અને દાનથી નવગ્રહ પ્રસન્ન થાય છે.
  8. પિતૃ તર્પણ
  9. અનાજની પૂજા કરવી
  10. નવા કામની શરૂઆત શુભકારી
  11. શનિ-સૂર્યની પૂજા
  12. માં લક્ષ્મીનું પૂજન કરવું
  13. મંત્રનો જાપ- ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा નો 108 વાર જાપ
  14. ઝાડૂ ખરીદવો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ