મહેસાણામાં એક પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો. બહુરાજી મંદિરમાં આવેલા પોપટવશા ધર્મશાળામાં આ પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો. ધર્મશાળાની રૂમ નંબર 108માં આ પ્રેમી પંખીડાએ પોતાના શરીર પર કેરોસીન છાંટીને જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો.
ઘટનાની જાણ ધર્મશાળાના સંચાલકો અને અન્યને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને આગળ કાર્યવાહી હાથ ધરી. જો કે આ પ્રેમી પંખીડા સુરેન્દ્રનગરના રાજસીતાપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે.
#Mehsana માં પ્રેમી પંખીડાનો આપઘાતનો પ્રયાસ
બહુચરાજી મંદિરની પોપટવશા ધર્મશાળાની ઘટના
સુરેન્દ્રનગરના રાજસીતાપુરનાં પ્રેમી પંખીડાએ કર્યો આપઘાતનો પ્રયાસ
ધર્મશાળાની રૂમ નંબર-108માં કર્યો પ્રયાસ
શરીર પર કેરોસીન છાંટીને કર્યો આપઘાતનો પ્રયાસ#Suicide@GujaratPolice (FIle Image) pic.twitter.com/AyFOF00HRh
આ મામલે મળતી જાણકારી ગતરોજ મહેસાણાના ધર્મસ્થાન બહુચરાજી ખાતે આવેલ પોપટવશા ધર્મશાળામાં એક પ્રેમી યુગલે જાત જલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. જો કે આ મામલાની જાણ સંસ્થાના સંચાલકોને થતાં તેઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગયા હતા અને બંન્નેને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને પ્રાથમિક પૂછપરછ કરતા બંન્ને સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુરના રહેવાસી હોવાનું ખુલવા પામેલ. જો કે આ બંન્ને પ્રેમી પંખીડાએ આપઘાત કરવાનો પ્રયાસ ક્યાં કારણોસર કર્યો તે હજી સુધી જાણી શકાયું નથી.