બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / અજબ ગજબ / Maharashtra pune Wagheshwar Temple pawna dam water drown in temple open for devotees
Arohi
Last Updated: 08:54 AM, 13 April 2023
મહારાષ્ટ્રના પુણેમાં આવેલુ વાઘેશ્વર મંદિર ભક્તો માટે ખુલી ગયું છે. મોટી સંખ્યામાં ભક્ત ભગવાનના દર્શન કરવા માટે મંદિરે પહોંચી રહ્યા છે. આ મંદિર ખૂબ જ ઐતિહાસિક છે અને પવના ડેમની અંદર બનેલું છે.
આ કારણે મંદિર 8 મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે અને ફક્ત 4 મહિના જ પાણીમાંથી બહાર રહે છે. આ અનોખા મંદિરને જોવા માટે મહારાષ્ટ્રના ખૂણે-ખૂણામાંથી લોકો આવી રહ્યા છે.
1965માં થયું હતું ડેમનું નિર્માણ
જાણકારી અનુસાર પવના ડેમનું નિર્માણ વર્ષ 1965માં થયું હતું. વર્ષ 1971થી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રીતે આ ઐતિહાસિક મંદિર પાણીમાં ડૂબેલું છે. પવના ડેમના પરિસરમાં બનેલું આ મંદિર ઉનાળામાં ત્રણ-ચાર મહિના પાણી ઓછુ થયા બાદ જ દેખાય છે.
આ વર્ષે માર્ચના અંત સુધી આ મંદિર પાણીથી બહાર આવી ગયું. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ હેમાડપંથી શૈલીમાં લગભગ 700થી 800 વર્ષ પહેલા થયું હતું.
જુનું હોવાના કારણે મંદિરનો મોટાભાગનો ભાગ જર્જરીત
સંશોધકોએ દાવો કર્યો છે કે મંદિરનું નિર્માણ 11થી 12મી સદીમાં થયું હોવું જોઈએ. કારણ કે મંદિર નિર્માણમાં પથ્થર આસપાસ જોડાયેલા હતા. તેના પર અમુક શિલાલેખ પણ મળ્યા છે.
મંદિરનું આખુ નિર્માણ પથ્થરથી કરવામાં આવ્યું છે. વર્તમાનમાં આ મંદિરનું ફક્ત ખોલ જ બચ્યો છે. મંદિર જુનુ હોવાના કારણે તેનો મોટાભાગનો ભાગ જર્જરીત થઈ ગયો છે. આસ-પાસની દિવાલોને નિશાન પણ છે.
છત્રપતિ શિવાજીએ પણ લીધી હતી વાઘેશ્વર મંદિરની મુલાકાત
મંદિરનું શિખર નષ્ટ થઈ ગયું છે અને ફક્ત સભા ભવન બચ્યો છે. આ મંદિરને ચારે બાજુ તિરાડો થઈ ગઈ છે. કહેવાય છે કે કોંકણ સિંધુદુર્ગ અભિયાનને પુરૂ કર્યા બાદ છત્રપતિ શિવાજી મહારાજે વાઘેશ્વરના મંદિરની મુકાત લીધી.
આ મંદિરને જોવા માટે મહારાષ્ટ્રના ખુણે ખુણામાંથી ભક્તો આવે છે. આ ઐતિહાસિક મંદિર પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષણ કરવામાં આવવું જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime