બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Politics / maharashtra politics sanjay raut ajit pawar ncp shivsena udhhavthackeray

ઘમાસાન / 'હું કોઈના બાપથી પણ ડરતો નથી', પવાર પર બરાબરના ભડક્યા રાઉત, કહ્યા વેણ કે ગઠબંધનમાં પડશે ખટાશ

Pravin Joshi

Last Updated: 04:10 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે એનસીપીના ઘણા નેતાઓ પર કેન્દ્રીય તપાસ એજન્સીઓનું દબાણ છે અને આ દબાણને કારણે ભાજપ એનસીપીને તોડવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે શિવસેના તોડવામાં આવી હતી, ત્યારે અજિત પવાર અને તેમની પાર્ટીએ ઘણી વકીલાત કરી હતી.

  • મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો
  • સંજય રાઉત અજિત પવાર પર થયા ગુસ્સો
  • હું કોઈના બાપથી ડરતો નથી : રાઉત

શિવસેના (ઉદ્ધવ બાલ ઠાકરે)ના નેતા સંજય રાઉતે અજિત પવાર પર કડક વલણ બતાવતા સ્પષ્ટ કર્યું કે ઠાકરે સેના તેમના પ્રત્યે કડક છે. સંજય રાઉતે કહ્યું, મેં સામનામાં સત્ય લખ્યું, જેના કારણે NCPમાં બીજેપીનું ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું.તેમણે કહ્યું કે, મારા દ્વારા લખાયેલું સત્ય અજિત પવારને ડંખે છે શા માટે ? મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું, આજે એનસીપીના ઘણા નેતાઓ પર કેન્દ્રીય તપાસ એજન્સીઓનું દબાણ છે અને આ દબાણને કારણે ભાજપ એનસીપીને તોડવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે શિવસેના તોડવામાં આવી હતી, ત્યારે અજિત પવાર અને તેમની પાર્ટીએ ઘણી વકીલાત કરી હતી. અજિત પવારને ખરાબ લાગે છે જ્યારે હું અત્યારે આવું કરી રહ્યો છું? હું MVAનો ચોકીદાર છું અને મારી જવાબદારી છે કે સામેલ તમામ પક્ષો સાથે રહે.

હું કોઈના બાપથી ડરતો નથી - સંજય રાઉત

શિવસેના (ઉદ્ધવ બાલ ઠાકરે) નેતા સંજય રાઉતે કહ્યું, હું સામનામાં લખતો રહીશ, હું કોઈના બાપથી ડરતો નથી. સંજય રાઉતે અજિત પવાર પર ટિપ્પણી કરી હતી. સામના અખબારની એક કોલમમાં લખ્યું છે કે, ભાજપ અજિત પવાર સહિતના NCP નેતાઓને ED તપાસ અને જેલની ધમકી આપી રહી છે. જરાંદેશ્વર સુગર મિલની ED તપાસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અજિત પવારનું નામ નથી. આ બળજબરીનું રાજકારણ છે.

અજિત પવાર મારી વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી શકે નહીં : રાઉત

મંગળવારે અજિત પવારે સંજય રાઉતનું નામ લીધા વિના પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કેટલાક લોકો NCPના પ્રવક્તા બની રહ્યા છે જ્યારે અન્ય પક્ષો સાથે જોડાયેલા છે, તેમને તેમની પાર્ટી વિશે વાત કરવા જણાવવું પડશે. સંજય રાઉતે કહ્યું, અજિત પવાર મારી વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી શકે નહીં. માત્ર શરદ પવાર જ કરી શકે છે. હું હંમેશા લખતો રહીશ અને જો તે કોઈને નારાજ કરે તો શું? અજિત પવારને ખરાબ લાગે છે કારણ કે મેં સામનામાં સત્ય લખ્યું છે. મને કોઈ વાંધો નથી. સામનામાં લખેલી દરેક વાત સાચી છે. જો મેં લખ્યું ન હોત તો ભાજપનું ઓપરેશન લોટસ સફળ થાત.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ