બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મુંબઈ / Politics / Maharashtra minister Uday samant claims to have 33 MLAs are in touch with Shinde

રાજનીતિ / મહારાષ્ટ્રમાં આ ચાલી શું રહ્યું છે? 'શિંદે'સેનાએ કહ્યું હજુ 33 ધારાસભ્યો સંપર્કમાં! સંજય રાઉતે કહ્યું હતું- સરકાર પડી જશે

Vaidehi

Last Updated: 06:15 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રનાં મંત્રી ઉદય સામંતે દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરે સમૂહનાં 13 અને RCPનાં 20 ધારાસભ્યો શિવસેના (એકનાથ શિંદે)નાં સંપર્કમાં છે.

  • મહારાષ્ટ્રનાં મંત્રી ઉદય સામંતે કર્યો દાવો
  • કહ્યું વધુ 33 ધારાસભ્યો શિંદેનાં સંપર્કમાં
  • તો UBT શિવસેનાનાં નેતાએ જણાવી ઠાકરે પાર્ટીની યોજના

મહારાષ્ટ્રનાં ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરે સમૂહનાં 13 અને RCPનાં 20 ધારાસભ્યો શિવસેના (એકનાથ શિંદે જૂથ)નાં સંપર્કમાં છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહાબલેશ્વરમાં CM શિંદેની સાથે ગુપ્ત બેઠક પણ કરી હતી. 

નેતા અંબાદાસ દાનવેએ આપી મીડિયાને માહિતી
તો બીજી તરફ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) મહારાષ્ટ્રમાં 2024ની વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી 100 સીટ જીતવાનાં પ્રયાસો કરી રહી છે એવું પાર્ટીનાં નેતા અને MLC અંબાદાસ દાનવેએ મીડિયાને જણાવ્યું હતું. વિધાન પરિષદમાં દાનવેએ કહ્યું કે,' જીતવાપાત્ર ઉમેદવારોની શોધ અને 2019ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનાં દ્વિતીય સ્થાન પર રહેનારી સીટો પર ધ્યાન કેન્દ્રિત કરવાની પાર્ટીની યોજના છે.  ' તેમણે કહ્યું કે 'અમે એવી સીટો માટે ઉમેદવારી શોધી રહ્યાં છીએ જે એકનાથ શિંદે જૂથમાં શામેલ થનારા ધારાસભ્યો પાસે હતી. સાથે જ મરાઠાવાડની 27 સીટોની જેમ અમે જે સીટો પર દ્વિતીય સ્થાન પર હતાં એવી સીટો પર પૂરજોશમાં ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યાં છીએ.'

મહારાષ્ટ્ર સરકારનું 'ડેથ વૉરેન્ટ'
થોડાં દિવસ પહેલાં શિવસેના (UBT)નાં નેતા સંજય રાઉતે દાવો કરતાં કહ્યું હતું કે 'એકનાથ શિંદેની આગેવાનીવાળી મહારાષ્ટ્રની સરકારનું ડેથ વૉરેન્ટ આવી ગયું છે અને આવનારાં 15- 20 દિવસોમાં આ સરકાર પડી જશે.'

જાણીએ મહારાષ્ટ્ર રાજનીતિનો નાનો ઈતિહાસ
જો વર્ષ 2019ની વાત કરીએ તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અવિભાજિત શિવસેનાએ BJPની સાથે ગઠબંધન કર્યું હતું. જેમાં ભાજપને 100થી વધારે સીટ પર વિજય પ્રાપ્ત થયો હતો. બંને દળોએ મળીને 288 સદસ્યવાળા ગૃહમાં 150થી વધારે સીટો મેળવી હતી. પરંતુ શિવસેનાએ ચૂંટણી બાદ ભાજપનો સાથ છોડી NCP અને કોંગ્રેસની સાથે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય કર્યો. તે સમયે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યાં. જો કે એકનાથ શિંદનાં વિદ્રોહ બાદ ગતવર્ષે જૂનમાં શિવસેનાથી અલગ થઈ ગયાં અને હાલમાં તેઓ મહારાષ્ટ્રનાં CM પદ પર છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ