બ્રેકિંગ ન્યુઝ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ
દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ
પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ
સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી
ક્ષત્રિય સંકલન સમિતિ પરના આરોપને લઇ રમજુભાનો જવાબ, પી.ટી. જાડેજા મામલે સમાધાન થઈ ગયું છે
આવનારા 4 દિવસમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે
PM મોદીનો આવતીકાલે વારાણસીમાં ભવ્ય રોડ શો
Last Updated: 09:30 PM, 28 April 2024
ગુજરાત એટીએસે પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલા મોહમ્મદ સકલીનની ધરપકડ કરી છે. જામનગરના રહેવાસી મહંમદ સકલેને સીમકાર્ડ ખરીદીને ભારતીય નંબર પર વોટ્સએપ એક્ટિવ કરી દીધું હતું. તે વોટ્સએપ નંબરથી જમ્મુ-કાશ્મીરમાં સેનાની જાસૂસી કરતો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં ગુજરાત એટીએસ દ્વારા આ કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને આરોપીઓ પકડાયા હતા. આજે તેમાંથી એક આરોપી સકલીન જે ફરાર છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
#WATCH | Ahmedabad, Gujarat: On the arrest of a Pakistani spy, Gujarat ATS SP Om Prakash Jat says, "Gujarat ATS received input from the military intelligence that a Pakistani army or a Pakistan agent is using WhatsApp on an Indian SIM Card... He was sending Remote Access Trojan… https://t.co/JvitqnyjS7 pic.twitter.com/p3a362ZreU
— ANI (@ANI) October 20, 2023
ગુજરાત ATSએ પાકિસ્તાની ષડયંત્રનો પર્દાફાશ કર્યો
ભારતીય સેનાના જવાનોના મોબાઇલ ફોનમાં માલવેર મોકલીને જાસૂસી કરવાના પાકિસ્તાની ષડયંત્રનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે. ગુજરાત એટીએસને મિલિટરી ઇન્ટેલિજન્સ પાસેથી ઇનપુટ મળ્યા હતા કે એક પાકિસ્તાની જાસૂસે તેના ફોનમાં શંકાસ્પદ લિંક (વાઇરસ) મોકલીને ભારતીય સેવાના જવાનોનો ડેટા હેક કર્યો હતો અને ભારતીય સૈન્યની ગુપ્ત માહિતી લીક કરી હતી. આ પછી ગુજરાત એટીએસે આ નંબરની તપાસ કરી હતી, જેમાં આ નંબર જામનગરના મોહમ્મદ સકલીનના નામે નોંધાયેલો હતો. આ સીમકાર્ડ અસગરને આપવામાં આવ્યું હતું, જે જામનગરનો પણ છે અને પાકિસ્તાન એમ્બેસીમાં કામ કરતા એક વ્યક્તિએ આ સીમકાર્ડ ગુજરાતના આણંદ જિલ્લાના તારાપુરના રહેવાસી લાભશંકર મહેશ્વરીને આપ્યું હતું. 2005માં તેમણે અને તેમની પત્નીએ ભારતીય નાગરિકત્વ મેળવ્યું હતું. આ પછી લાભશંકરે 2022માં પાકિસ્તાનના વિઝા માટે અરજી કરી હતી, પરંતુ વિઝામાં વિલંબ થયો હતો, જેના કારણે તેણે પાકિસ્તાનમાં રહેતા તેના માસીના પુત્ર કિશોર રામવાણી સાથે વાત કરી હતી. કિશોરે લાભશંકરને વોટ્સએપ પર પાકિસ્તાન દૂતાવાસમાં કોઈની સાથે વાત કરવા કહ્યું હતું. આ પછી લાભશંકર અને તેની પત્નીના વિઝા મંજૂર થયા હતા અને બંને પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. બાદમાં તેણે ફરીથી પાકિસ્તાન એમ્બેસીનો સંપર્ક સાધ્યો હતો અને તેની બહેન અને તેના બાળક માટે પાકિસ્તાની વિઝા માટે તેને મંજૂરી અપાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT