બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / mahakaleshwar temple cctv footage fire broke out in ujjain

VIDEO / ભસ્મ આરતી વખતે ગુલાલ ઉડ્યો અને...મહાકાલ મંદિરમાં આવી રીતે ભડકી આગ, આવ્યો વીડિયો

Arohi

Last Updated: 01:13 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CCTV Footage Fire Broke Out In Ujjain: આગ લાગતા જ મંદિરમાં અફરાતફરી મચી ગઈ જેના બાદ તરંત એમ્બ્યુલંસ બોલાવીને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. ગુહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી મોહન યાદવને ફોન કરીને ઘટનાની જાણકારી મેળવી હતી.

ઉજ્જૈનમાં મહાકાળી મંદિરમાં થયેલી દુર્ઘટનાથી હડકંપ મચી ગયો છે. અહીં ગર્ભગૃહમાં ભસ્ત આરતી વખતે હોળી રમતી વખતે અચાનક આગ લાગી જેમાં 13 પુજારીઓ દાઝી ગયા હોવાની જાણકારી સામે આવી છે. આગ લાગતા જ મંદિરમાં અફરાતરફરી મચી ગઈ જેના બાદ તરત એમ્બ્યુલંસ બોલાવીને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. 

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં આરતી વખતે અચાનક આગ લાગી તે સ્પષ્ટ પણે જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગર્ભગૃહમાં ભસ્મ આરતી વખતે હોળી રમવામાં આવી રહી છે. અચાનક ગુલાલ ઉડે છે અને આગ ભડકે છે. જણાવવામાં આવી રહ્યું છે આ ઘટના બાદ અફરા તફરી મચી ગઈ અને તરત જગ્યાને ખાલી કરાવવામાં આવી. 

કેમ લાગી આગ?
જણાવવામાં આવી રહ્યું છે કે આરતી વખતે ગુલાલ ઉડવાથી આગ ભડકી છે. ઘટનામાં મંદિરમાં હજારો શ્રદ્ધાળુ મહાકાળની સાથે હોળી ઉજવી રહ્યા હતા. મળી રહેલી જાણકારી અનુસાર ગર્ભગૃહમાં પુજારી આરતી કરી રહ્યા હતા ત્યારે જ પુજારી સંજીવ પર પાછળથી કોઈએ ગુલાલ નાખ્યું. ગુલાલ દિવા પર પડ્યું. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગુલાલમાં કોઈ કેમીકલ હતું તેનાથી આગ લાગી. 

ગર્ભગૃહમાં લાગેલા ચાંદીને રંગ-ગુલાલથી બચાવવા માટે ફ્લેક્સ લગાવવામાં આવ્યા હતા. તેમાં પણ આગ લાગી ગઈ. અમુક લોકોએ ફાયર એક્સટિંગ્વિશરથી આગ પર કાબુ મેળવ્યો. પરંતુ ત્યાં સુધી ગર્ભગૃહમાં હાજર આરતી કરી રહેલા સંજીવ પુજારી સહિત 13 લોકો દાઝ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. 

અમિત શાહે સીએમ સાથે કરી વાત 
ઘટના બાદ ગુહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી મોહન યાદવને ફોન કરીને ઘટનાની જાણકારી મેળવી હતી. સાથે જ જરૂરી મદદ આપવા માટે પણ કહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની જાણકારી આપતા તેમણે કહ્યું, 

વધુ વાંચો: સાબરકાંઠામાં યુવાને નશામાં સળગતી હોળીમાં મૂકીને કાર સળગાવી નાખી

"ઉજ્જૈનના શ્રી મહાકાળ મંદિરમાં આગ લાગવાની ઘટનાના સંબંધમાં મુખ્યમંત્રી મોહન યાદવ સાથે વાત કરી જાણકારી લીધી. સ્થાનીક પ્રશાસન ઘાયલોને સહાયતા અને ઉપચાર ઉપલબ્ધ કરાવી રહ્યા છે. હું બાબા મહાકાલ પાસે ઘાયલોને જલ્દી સ્વસ્થ્ય કરવાની કામના કરૂ છું."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ