બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / lucknow ajab gajab lord hanuman became the chairman of the college car and cabin for him

લખનઉ / OMG! બજરંગબલી છે આ કોલેજના કર્તાહર્તા, ચેરમેન પદે બેસીને લે છે દરેક નિર્ણય, કાર, કેબિન પણ પવનપુત્રના નામે

Manisha Jogi

Last Updated: 07:48 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનઉમાં એક કોલેજ સંચાલકે બજરંગબલીને ચેરમેન બનાવ્યા છે. બજરંગબલીની નેનો કાર પણ છે, જે દરરોજ રામભક્ત હનુમાનને રામલલાના દર્શન કરાવવા માટે લઈ જાય છે.

  • એક એવી કોલેજ જ્યાં બજરંગબલી છે ચેરમેન
  • બજરંગબલીની નેનો કાર પણ છે
  • હનુમાનજીની મંજૂરી લઈને થાય છે તમામ કામ

લખનઉમાં એક કોલેજ સંચાલકે બજરંગબલીને ચેરમેન બનાવ્યા છે. લખનઉની ભગતસિંહ કોલેજનું તમામ કામ બજરંગબલીની મંજૂરીથી થાય છે. આ કોલેજમાં ભગવાન હનુમાનની કેબિન પણ છે, જ્યાં લોકો તેમની આજ્ઞા લઈને પ્રવેશ કરે છે. બજરંગબલીની નેનો કાર પણ છે, જે દરરોજ રામભક્ત હનુમાનને રામલલાના દર્શન કરાવવા માટે લઈ જાય છે. આ કારમાં ડ્રાઈવર અને બજરંગબલી સિવાય કોઈ હોતું નથી. રામલલાના મંદિરે જઈને પ્રસાદ અને ફૂલ અર્પણ કરે છે.

આ કોલેજમાં કોન્ફરન્સ રૂમ પણ છે, જ્યાં ચેરમેનની ગાદી પર હનુમાનજી બિરાજમાન છે અને તેમની નેમપ્લેટ પણ લાગેલી છે. લખનઉના મોહના રોડ પર આવેલ ભગતસિંહ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ કોલેજમાં ભગવાન હનુમાન સવારે 08:00 વાગ્યે આવે છે. હનુમાનજી આવે તે પહેલા કેબિનની સાફ સફાઈ કરી દેવામાં આવે છે અને તેમની કેબિનમાં ધાર્મિક પુસ્તક રાખવામાં આવ્યા છે. આ કેબિનમાં રામ દરબાર પણ છે, દરરોજ સવારે 10:00 થી 11:00 વાગ્યા સુધી કોન્ફરન્સ રૂમમાં મીટિંગ કરવામાં આવે છે. 

મીટિંગ પૂર્ણ થયા પછી હનુમાનજીને પરિસરમાં બનેલ મંદિરના દર્શન કરાવવામાં આવે છે. બપોરે 1 વાગ્યે લંચ બ્રેકમાં બેસનના લાડવા આપવામાં આવે છે. કોલેજ શરૂ કરનાર પૂર્વ પ્રેસિડેન્ટ વિવેક તાંગડી અને સચિવ પંકજ સિંહ ભદૌરિયાએ જણાવ્યું કે, વર્ષ 2007માં બંને મિત્રોએ સાથે મળીને આ કોલેજ શરૂ કરી હતી. તે સમયે બંને મિત્રો આ કોલેજના ચેરમેન બનવા માંગતા ન હતા. બંને મિત્રો હનુમાનના પ્રખર ભક્ત હોવાથી બજરંગબલીને ચેરમેન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.

કોલેજમાંથી સાંજે તમામ લોકો નીકળે ત્યારે તેમની કેબિન પણ બંધ કરી દેવામાં આવે છે. વિધિ વિધાન સાથે તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ચેરમેન પદના તમામ નિયમ ફોલો કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશ ટેકનિકલ યુનિવર્સિટી (હાલમાં એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટી)એ આ કોલેજને માન્યતા આપવાની મનાઈ કરી હતી. તેમણે તર્ક આપ્યો હતો કે, એક જીવિત વ્યક્તિ જ ચેરમેન હોઈ શકે છે. તે સમયે તમામ બ્રાહ્મણોએ જણાવ્યું હતું કે, રામભક્ત હનુમાનને અમર હોવાની સાથે ચિરંજીવીનું વરદાન પ્રાપ્ત છે. ત્યારબાદ આ મામલો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો હતો અને આ કોલેજને માન્યતા આપવામાં આવી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ