બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / LRD exam Maldhari society candidates Injustice Geeta Rabari
Hiren
Last Updated: 09:55 PM, 13 December 2019
ગીતા રબારીએ LRDની ભરતીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે 16 ડિસેમ્બરે મહિલા મહારેલીમાં જોડાવા પણ આહ્વાન કર્યું છે. સમાજને ન્યાય મળે તે માટે માલધારી સમાજને એક થવા ગીતા રબારીએ અપીલ કરી છે.
ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ સરકારને લખ્યો પત્ર
ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ સરકારને પત્ર લખ્યો છે. LRD પરીક્ષામાં માલધારી સમાજને અન્યાય મામલે તેમણે પત્ર લખ્યો છે. જેમાં તેમણે માલધારી સમાજને ન્યાય આપવાની માંગ કરી છે. જે ઇસમોએ ખોટી પ્રવૃતી કરી હોય તેના વિરૂદ્ધ તેમણે કાર્યવાહીની માંગ કરી છે.
LRD ભરતી બાબતે રબારી સમાજમાં રોષની લાગણી પ્રસરી છે. રબારી સમાજને અન્યાય થયા હોવાનો આક્ષેપ લગાવાય રહ્યો છે. થોડા દિવસો અગાઉ જૂનાગઢ જિલ્લા રબારી સમાજ દ્વારા રેલી યોજી હતી. 5 હજારથી વધુ સમાજના લોકો જોડાયા હતા. રેલી બાદ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
રબારી સમાજના યુવાનો આ ભરતીથી બાકાત રહ્યા
ગરીબ અને નેસડામાં વસતા રબારી સમાજ અને ગરીબ માલધારી સમાજના વિદ્યાર્થીને અન્યાય કરવામાં આવ્યો છે જે સર્ટિફિકેટ સરકાર તરફથી આપવામાં આવ્યા હતા. આદિજાતિના તે આ LRDની ભરતીમાં અમાન્ય ગણવામાં આવ્યા જેને લઈ વિદ્યાર્થી આ ભરતીથી વંચિત રહ્યા છે. તો તાત્કાલિક સરકાર યોગ્ય ન્યાય આપે તેવી અમારી માંગણી છે. સરકારી ભરતીમાં વિદ્યાર્થી પાસ થઈ ગયા અને સર્ટિફિકેટ અમાન્ય ગણવામાં આવ્યા. આદિજાતિ અધિકારી અને નેતા દ્વારા આ અન્યાય કરવામાં આવ્યો છે. હજુ આ પ્રથમ ચીમકી છે હવે જો સરકાર યોગ્ય નહીં કરે હજુ રાજ્ય ભર સળગી ઉઠશે તેવું આંદોલન કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ