બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Last lunar eclipse of the year: No evening aarti at Somnath temple today
Malay
Last Updated: 08:05 AM, 28 October 2023
Chandra Grahan: આજે શરદપૂર્ણિમા અને શનિવારના રોજ ચંદ્રગ્રહણને લઇ ભારતમાં અનેક ધાર્મિક અનુષ્ઠાનોમાં બદલાવ કરવામાં આવ્યો છે. ત્યારે ગ્રહણને લઇને સોમનાથ, દ્વારકા, અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ડાકોર સહિતના મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો. આજે બપોરે 2.30 કલાકે વેધ શરુ થતા મંદિરોમાં સવારની આરતી બાદ પૂજાપાઠ નહીં થાય.
મધ્યાહ્ન આરતી પછી દરેક પૂજાક્રમ બંધ રહેશે
સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણના વેધ સ્પર્શથી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગિત રહેશે. ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં મધ્યાહ્ન આરતી પછી દરેક પૂજાક્રમ બંધ રહેશે. ચંદ્ર ગ્રહણને લઈ સોમનાથ મંદિર દર્શનનો સમય સવારે 6 કલાકથી રાત્રીના 10 કલાક સુધીનો રહેશે. ગ્રહણનો પુણ્યકાળ ગ્રહણ સ્પર્શથી ગ્રહણ મોક્ષ સુધી રહેશે.
સુંદરકાંડપાઠ સાંજે શરૂ થશે
ચંદ્રગ્રહણને અનુલક્ષીને ટ્રસ્ટના સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં મધ્યાહ્ન આરતી પછી દરેક પૂજાક્રમ બંધ રહેશે. સાથે જ સાથે આરતી, ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. સોમનાથ મંદિર પરિસરમાં દરમાસની પુર્ણિમાએ યોજાતા સુંદરકાંડપાઠ નિયત સમયે સાંજે 5-30 વાગ્યે પ્રારંભ થશે.
આવતીકાલે પ્રાંતઃ આરતી 7 વાગ્યે થશે
તા.29/10/2023ના તમામ મંદિરો તેના નિયત સમયે ખુલશે. ગ્રહણ મોક્ષ તા.29 ઓક્ટોબરના મધ્યરાત્રીએ થતો હોવાથી, પ્રાતઃ મહાપૂજન સવારે 6:10 કલાકે, પ્રાત:આરતી સવારે 7:00 કલાકે નિયત સમય અનુસાર કરવામાં આવશે. ચંદ્ર ગ્રહણને લઈ સોમનાથ મંદિર દર્શનનો સમય પ્રાતઃ 6-00થી રાત્રીના 10-00 સુધીનો રહેશે. ગ્રહણનો પુણ્યકાળ ગ્રહણ સ્પર્શથી ગ્રહણ મોક્ષ સુધી રહેશે.
આજે અને કાલેના ગ્રહણની વિગત
વેધ પ્રારંભ: બપોરે 1:42:44 (કલાક: મિનિટ: સેકન્ડ)
ગ્રહણ સ્પર્શ: રાત્રે 10:43:28 (કલાક: મિનિટ: સેકન્ડ)
ગ્રહણ મધ્ય: મધ્યરાત્રીના 12:57:00 (કલાક: મિનિટ: સેકન્ડ)
ગ્રહણ મોક્ષઃ મધ્યરાત્રીના 03:08:03 (કલાક: મિનિટ: સેકન્ડ)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir