બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Last lunar eclipse of the year: No evening aarti at Somnath temple today

Chandra Grahan 2023 / વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ: આજે સોમનાથ મંદિરમાં સાંજની આરતી નહીં થાય, જાણો ભક્તો માટે કેટલાં વાગ્યા સુધી દર્શન શરૂ રહેશે

Malay

Last Updated: 08:05 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandra Grahan: શરદપૂર્ણિમા અને શનિવારના રોજ ચંદ્રગ્રહણને લઇ સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં સાંજની આરતી બંધ રહેશે, મંદિરમાં દર્શનનો સમય યથાવત રહેશે. એટલે કે ગ્રહણ દરમિયાન પણ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી શકશે.

  • આજે શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ 
  • ગુજરાતના મોટા ભાગના મંદિરો આજે બપોર બાદ રહેશે બંધ 
  • સોમનાથ મંદિરમાં સાંજની આરતી નહીં થાય 
  • દ્વારકા, અંબાજી, બહુચરાજી મંદિરના સમયમાં ફેરફાર 
  • પાવાગઢ, ડાકોર સહિતના મંદિરોના સમયમાં ફેરફાર 

Chandra Grahan: આજે શરદપૂર્ણિમા અને શનિવારના રોજ ચંદ્રગ્રહણને લઇ ભારતમાં અનેક ધાર્મિક અનુષ્ઠાનોમાં બદલાવ કરવામાં આવ્યો છે. ત્યારે ગ્રહણને લઇને સોમનાથ, દ્વારકા, અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ડાકોર સહિતના મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો. આજે બપોરે 2.30 કલાકે વેધ શરુ થતા મંદિરોમાં સવારની આરતી બાદ પૂજાપાઠ નહીં થાય.

સોમનાથ મંદિરમાં દાતાઓએ કર્યું સોનાનું દાન, 1500થી વધુ કળશ સુવર્ણ જડિત કરાશે  | somnath temple kalash gold
સોમનાથ મંદિર

મધ્યાહ્ન આરતી પછી દરેક પૂજાક્રમ બંધ રહેશે
સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણના વેધ સ્પર્શથી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગિત રહેશે. ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં મધ્યાહ્ન આરતી પછી દરેક પૂજાક્રમ બંધ રહેશે. ચંદ્ર ગ્રહણને લઈ સોમનાથ મંદિર દર્શનનો સમય સવારે 6 કલાકથી રાત્રીના 10 કલાક સુધીનો રહેશે. ગ્રહણનો પુણ્યકાળ ગ્રહણ સ્પર્શથી ગ્રહણ મોક્ષ સુધી રહેશે.

સોમનાથ, સાળંગપુર, દ્વારકા મંદિર જતાં પહેલા આ અપીલ પર ખાસ નજર કરજો, પડી શકે  ધરમનો ધક્કો | Before going to Somnath Salangpur Dwarka temple pay special  attention to this appeal
દ્વારકા મંદિર

સુંદરકાંડપાઠ સાંજે શરૂ થશે
ચંદ્રગ્રહણને અનુલક્ષીને ટ્રસ્ટના સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં મધ્યાહ્ન આરતી પછી દરેક પૂજાક્રમ બંધ રહેશે. સાથે જ સાથે આરતી, ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. સોમનાથ મંદિર પરિસરમાં દરમાસની પુર્ણિમાએ યોજાતા સુંદરકાંડપાઠ નિયત સમયે સાંજે 5-30 વાગ્યે પ્રારંભ થશે.

આવતીકાલે પ્રાંતઃ આરતી 7 વાગ્યે થશે
તા.29/10/2023ના તમામ મંદિરો તેના નિયત સમયે ખુલશે. ગ્રહણ મોક્ષ તા.29 ઓક્ટોબરના મધ્યરાત્રીએ થતો હોવાથી, પ્રાતઃ મહાપૂજન સવારે 6:10 કલાકે, પ્રાત:આરતી સવારે 7:00 કલાકે નિયત સમય અનુસાર કરવામાં આવશે. ચંદ્ર ગ્રહણને લઈ સોમનાથ મંદિર દર્શનનો સમય પ્રાતઃ 6-00થી રાત્રીના 10-00 સુધીનો રહેશે. ગ્રહણનો પુણ્યકાળ ગ્રહણ સ્પર્શથી ગ્રહણ મોક્ષ સુધી રહેશે.

દેશના 51 શક્તિપીઠોમાંથી એક પૌરાણિક મંદિર છે અંબાજી | know the facts of  ambaji temple and history
અંબાજી મંદિર

આજે અને કાલેના ગ્રહણની વિગત
વેધ પ્રારંભ: બપોરે 1:42:44 (કલાક: મિનિટ: સેકન્ડ)
ગ્રહણ સ્પર્શ: રાત્રે 10:43:28 (કલાક: મિનિટ: સેકન્ડ)
ગ્રહણ મધ્ય: મધ્યરાત્રીના 12:57:00 (કલાક: મિનિટ: સેકન્ડ)
ગ્રહણ મોક્ષઃ મધ્યરાત્રીના 03:08:03 (કલાક: મિનિટ: સેકન્ડ)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ