ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Last lunar eclipse of the year: No evening aarti at Somnath temple today
ADVERTISEMENT
ADVERTISEMENT
Chandra Grahan: આજે શરદપૂર્ણિમા અને શનિવારના રોજ ચંદ્રગ્રહણને લઇ ભારતમાં અનેક ધાર્મિક અનુષ્ઠાનોમાં બદલાવ કરવામાં આવ્યો છે. ત્યારે ગ્રહણને લઇને સોમનાથ, દ્વારકા, અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ડાકોર સહિતના મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો. આજે બપોરે 2.30 કલાકે વેધ શરુ થતા મંદિરોમાં સવારની આરતી બાદ પૂજાપાઠ નહીં થાય.
ADVERTISEMENT
મધ્યાહ્ન આરતી પછી દરેક પૂજાક્રમ બંધ રહેશે
સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણના વેધ સ્પર્શથી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગિત રહેશે. ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં મધ્યાહ્ન આરતી પછી દરેક પૂજાક્રમ બંધ રહેશે. ચંદ્ર ગ્રહણને લઈ સોમનાથ મંદિર દર્શનનો સમય સવારે 6 કલાકથી રાત્રીના 10 કલાક સુધીનો રહેશે. ગ્રહણનો પુણ્યકાળ ગ્રહણ સ્પર્શથી ગ્રહણ મોક્ષ સુધી રહેશે.
ADVERTISEMENT
સુંદરકાંડપાઠ સાંજે શરૂ થશે
ચંદ્રગ્રહણને અનુલક્ષીને ટ્રસ્ટના સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં મધ્યાહ્ન આરતી પછી દરેક પૂજાક્રમ બંધ રહેશે. સાથે જ સાથે આરતી, ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. સોમનાથ મંદિર પરિસરમાં દરમાસની પુર્ણિમાએ યોજાતા સુંદરકાંડપાઠ નિયત સમયે સાંજે 5-30 વાગ્યે પ્રારંભ થશે.
આવતીકાલે પ્રાંતઃ આરતી 7 વાગ્યે થશે
તા.29/10/2023ના તમામ મંદિરો તેના નિયત સમયે ખુલશે. ગ્રહણ મોક્ષ તા.29 ઓક્ટોબરના મધ્યરાત્રીએ થતો હોવાથી, પ્રાતઃ મહાપૂજન સવારે 6:10 કલાકે, પ્રાત:આરતી સવારે 7:00 કલાકે નિયત સમય અનુસાર કરવામાં આવશે. ચંદ્ર ગ્રહણને લઈ સોમનાથ મંદિર દર્શનનો સમય પ્રાતઃ 6-00થી રાત્રીના 10-00 સુધીનો રહેશે. ગ્રહણનો પુણ્યકાળ ગ્રહણ સ્પર્શથી ગ્રહણ મોક્ષ સુધી રહેશે.
ADVERTISEMENT
આજે અને કાલેના ગ્રહણની વિગત
વેધ પ્રારંભ: બપોરે 1:42:44 (કલાક: મિનિટ: સેકન્ડ)
ગ્રહણ સ્પર્શ: રાત્રે 10:43:28 (કલાક: મિનિટ: સેકન્ડ)
ગ્રહણ મધ્ય: મધ્યરાત્રીના 12:57:00 (કલાક: મિનિટ: સેકન્ડ)
ગ્રહણ મોક્ષઃ મધ્યરાત્રીના 03:08:03 (કલાક: મિનિટ: સેકન્ડ)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો