બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ISRO Chief gave big update regarding Chandrayaan
Vishal Khamar
Last Updated: 10:13 PM, 23 September 2023
ચંદ્ર પર સૂર્યોદય થયાને ત્રણ દિવસ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ફરી કામ કરવાનું શરૂ કર્યું નથી. બંને હજુ પણ સ્લીપ મોડમાં છે અને એવી અપેક્ષા હતી કે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર શુક્રવારે ફરી કામે લાગી જશે. પરંતું ચંદ્ર પર રાત પડવાને કારણે આ મહિનાની શરૂઆતમાં બંને મોડ્યુલ સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા અને એક ચમત્કારની આશા રાખવામાં આવી હતી કે જ્યારે ચંદ્ર પર ફરીથી પ્રકાશ આવશે. ત્યારે બંને સૂર્યપ્રકાશથી ચાર્જ થશે અને ફરીથી સિગ્નલ મોકલવાનું શરૂ કરશે. જોકે, શનિવાર રાત સુધી આ થઈ શક્યું ન હતું.
ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે હજુ સુધી કોઈ સિગ્નલ મળ્યું નથી. પરંતુ હું એમ ન કહી શકું કે સિગ્નલ આવશે નહીં. અમે પૃથ્વીના દિવસની દ્રષ્ટિએ 14 દિવસ રાહ જોઈશું. કારણ કે ત્યાં સુધી સૂર્યપ્રકાશ સતત પડતો રહેશે. જેનો અર્થ છે કે તાપમાન વધશે.'' તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી તાપમાન વધી રહ્યું છે ત્યાં સુધી અંદરની સિસ્ટમ ગરમ થવાની શક્યતા છે. તેથી સિસ્ટમ 14મા દિવસે પણ સ્લીપ મોડમાંથી કાર્યરત થઈ શકે છે. પરંતું તે ક્યારે કાર્યરત થશે તેની આગાહી કરવાનો કોઈ રસ્તો નથી.
ઈસરોના વડાએ વધુમાં કહ્યું કે અમારા દ્વારા કરવામાં આવેલા ઘણા પ્રયોગોથી અમને ડેટા મળ્યો છે. પરંતુ સમયની સાથે તે બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે, ChaSTE (ચંદ્રનો સરફેસ થર્મો ફિઝિકલ એક્સપેરિમેન્ટ) ને નવા સ્થાને મૂકી શકાય છે. જો આપણે વધુ આશા રાખીએ તો આપણે બીજા સ્થાનેથી નવો ડેટા આપણે મેળવી શકીએ છીએ જે સારું રહેશે. તેમણે કહ્યું કે, ચંદ્રની રેડિયો એનાટોમી પણ અતિસંવેદનશીલ આયનોસ્ફિયર અને વાતાવરણને અલગ જગ્યાએથી ચંદ્રની તપાસ કરવાથી ફાયદો થશે. તેમણે કહ્યું અને જ્યાં સુધી અન્ય પેલોડ્સ જાય છે, તેનો ફાયદો એક અલગ સમયનો ડેટા મેળવવાનો ફાયદો થશે.
ઈલેક્ટ્રોનિક્સ ઠંડા તાપમાનમાં રહેશે તો અમને સિગ્નલ પ્રાપ્ત થશેઃવૈજ્ઞાનિક દેસાઈ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ના મુખ્ય કેન્દ્રોમાંના એક સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટરે કહ્યું હતું કે ચંદ્ર પર સૂર્યોદયના કારણે સૌર ઉર્જાથી ચાલતા લેન્ડર અને રોવર ચાર્જ થતાં જ સિગ્નલ આવી જશે. જો કે, હજુ સુધી કોઈ સિગ્નલ આવ્યા નથી અને ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. વૈજ્ઞાનિક દેસાઈએ કહ્યું હતું કે ફરીથી સક્રિય થવાની શક્યતાઓ છે. જો ઈલેક્ટ્રોનિક્સ ઠંડા તાપમાનમાં રહેશે તો અમને સિગ્નલ પ્રાપ્ત થશે. પરંતું મિશન પહેલાથી જ તેનું કામ કરી ચૂક્યું છે. વૈજ્ઞાનિકે એમ પણ કહ્યું કે જો લેન્ડર અને રોવર ફરીથી કાર્યરત થશે તો ચંદ્રની સપાટી પર પ્રયોગો ચાલુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir