બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / Israel Hamas War Will Israel stop the war? PM Netanyahu hints at release of hostages, says 'I think...'
Megha
Last Updated: 12:48 PM, 13 November 2023
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 38મો દિવસ છે. આજે પણ ઈઝરાયલની સેના આતંકવાદીઓને એ જ રીતે નિશાન બનાવી રહી છે જેવી રીતે તે પહેલા દિવસે કરી રહી હતી. દરમિયાન, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે ગાઝામાં હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવા માટે સંભવિત કરાર તરફ સંકેત આપ્યો હતો.
એક વાતચીત દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને જ્યારે પૂછવામાં આવ્યું કે શું હમાસના આતંકવાદીઓ દ્વારા બંધકોને મુક્ત કરવા માટે કોઈ સંભવિત કરાર છે, તો નેતન્યાહૂએ જવાબ આપ્યો 'કદાચ.' પરંતુ નેતન્યાહુએ કોઈપણ યોજના વિશે ચોક્કસ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે મને લાગે છે કે હું આ સંદર્ભમાં જેટલું ઓછું બોલીશ, તેટલી સફળ થવાની શક્યતાઓ વધારે છે. તેમણે વધુમાં કહ્યું કે પહેલા ઘણા પ્રકારના સમાચારો આવતા હતા પરંતુ અમે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરતા જ બધું બદલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું.
અહીં ચર્ચા કરીએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ તેજ બન્યું છે. 7 ઓક્ટોબરે હમાસના લડવૈયાઓએ કરેલા હુમલા બાદથી ઈઝરાયેલ ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે અને હમાસના લડવૈયાઓને પાઠ ભણાવી રહ્યું છે. ગાઝામાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં બાળકો સહિત 10,000થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે.
દરમિયાન, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ માહિતી આપી છે કે તેના સૈનિકોએ તાત્કાલિક તબીબી હેતુઓ માટે ગાઝાની અલ-શિફા હોસ્પિટલમાં 300 લિટર ઇંધણ પહોંચાડ્યું છે. જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને આ કામ કર્યું. જો કે સમાચાર મુજબ હમાસે ઈંધણ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે હમાસે એક નિવેદનમાં કહ્યું કે ઈંધણ લેવાનો કોઈ ઈન્કાર નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે જેટલા ઇંધણની વાત કરવામાં આવી રહી છે તેનાથી હોસ્પિટલનું જનરેટર ત્રીસ મિનિટથી વધુ ચાલશે નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ