બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / વિશ્વ / isis-attacked-the-city-of-an-african-country-and-took-control-over-by-killing-many-civilians
Nirav
Last Updated: 06:35 PM, 30 March 2021
એક માહિતી પ્રમાણે અહીંના લોકો ચાલતા, બોટમાં અથવા અન્ય કોઈ રીતે આ શહેરથી ભગવા માટે વિવશ થઈ ગયા છે, નોંધનીય છે કે એક લાંબા વિદ્રોહના સઘર્ષ પછી આ શહેર પર આતંકવાદી સંગઠન આઈએસઆઈએસએ કબ્જો કરી લીધો છે, અને આ આતંકીઓએ ગત બુધવારે કરેલા હુમલામાં ઘણા લોકો માર્યા ગયાની જાણકારી સામે આવી છે.
આતંકીઓ હુમલામાં સફળ રહ્યા
મહત્વનું છે કે 2017થી જ ઉત્તરી મોઝામ્બિકયુમાં લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યી છે, અને આફ્રિકી વહીવટીતંત્રે આ મામલે એક નિવેદનમાં કહ્યું છે કે આ આતંકવાદીઓએ એક વ્યવસ્થિત યોજના પ્રમાણે હુમલો કર્યો હતો અને તેમાં તેઓ સફળ રહયા હતા, જો કે આના પછીથી આ શહેરના હજારો લોકો હાલમાં લાપતા બતાવાઈ રહયા છે, જેમાં એક બ્રિટિશ કોન્ટ્રાકટર પણ સામેલ છે.
અહેવાલ અનુસાર, જે હોટેલમાં આ બ્રિટિશ કોન્ટ્રાકટર રોકાયો હતો તે હોટેલની આંતકીઓએ ઘેરાબંદી કરી નાખી હતી અને 50 લોકોના માથા વાઢી નાખ્યા હતા. આની સિવાય આતંકવાદીઓએ 17 ગાડીઓમાં ઓપન ફાયરિંગ પણ કર્યું હતું, 44 વર્ષના આ બ્રિટીશ કોન્ટ્રકટર ફિલ માટે તેના ભાઈએ માત્ર એટલું જ કહ્યું હતું કે અત્યારે હું માત્ર એટલું જ કહી શકું છું કે મારો ભાઈ જ્યાં રોકાયો હતો તે જગ્યા પર આતંકીઓએ હુમલો કર્યો હતો.
આ શહેરને માઇનિંગનું શહેર ગણવામાં આવે છે
આ શહેર પાલ્મા છે, એક વ્યક્તિએ ઇન્ટરનેશનલ ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ શહેરને માઇનિંગનું શહેર કહેવામાં આવે છે, અને 75 હજારની વસ્તી વાળા આ શહેરની હાલત હાલમાં ઘણી ખરાબ થઇ ચૂકી છે. ઘણા લોકો જંગલના રસ્તાઓ પરથી ચાલી રહયા હતા, અને ચાલતા ચાલતા બેહોશ પણ થઇ ગયા હતા.
આ મામલે વધુ એક સ્થાનીય વ્યક્તિએ દાવો કર્યો હતો કે હુમલાની પહેલા અમુક આતંકીઓ શહેરમાં આવ્યા હતા અને અમુક સ્થાનિક લોકોને પૈસા આપીને તેમના ઘરે રોકાઈ ગયા હતા, જેમણે પાછળથી આ શહેરના મેઈન રોડસ પર હુમલો કરી દીધો હતો અને પોલીસ કૈંક પણ કરી શકે તે પહેલા આક્રમણકારીઓએ હુમલો શરુ કરી દીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ