બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Megha
Last Updated: 02:11 PM, 24 March 2024
ઘર ખરીદવું એ દરેક વ્યક્તિના જીવનનું સપનું હોય છે, પરંતુ પૈસાની અછતને કારણે લોકો ઘણી વખત હોમ લોન લઈને પોતાનું સપનું પૂરું કરે છે. તમારી હોમ લોન પરના વ્યાજ દરો કુલ કિંમત નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. હવે e વાત તો જાણીતી જ છે કે બેંકો કોઈ પણ લોન અથવા ક્રેડિટ કાર્ડ આપતા પહેલા ક્રેડિટ સ્કોર ચોક્કસપણે તપાસે છે.
હાલમાં, વ્યક્તિગત લોન મેળવવા માટે CIBIL સ્કોર અથવા ક્રેડિટ સ્કોર સૌથી મહત્વપૂર્ણ પરિબળ બની ગયો છે. વ્યક્તિગત લોન આપતા પહેલા, બેંકો અને NBFC હંમેશા અરજદારનો CIBIL સ્કોર તપાસે છે. જો CIBIL સ્કોર સારો હોય તો વ્યક્તિગત લોનની અરજી મંજૂર થવાની અને ઓછા વ્યાજ દરે લોન મળવાની શક્યતાઓ પણ વધી જાય છે.
જો તમારે લોન વગેરે માટે અરજી કરવાની હોય, તો તમારો ક્રેડિટ સ્કોર નક્કી કરે છે કે તમને લોન મળશે કે નહીં, તેથી તમારા માટે સારો ક્રેડિટ સ્કોર જાળવવો મહત્વપૂર્ણ બની જાય છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે, તો તમે ઘણા ફાયદાઓ મેળવી શકો છો અને સસ્તી લોન મેળવવા માટે તમે તેની મદદ લઈ શકો છો.
બેંકો સારા ક્રેડિટ સ્કોર પર સસ્તી લોન આપે છે. બેંકો CIBIL સ્કોરના આધારે લોન આપે છે. જો તમારો CIBIL સ્કોર ટોચનો છે તો તમે લોનના દર પર 0.15-0.25% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ માટે બેંકો, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજ દરો વિશે માહિતી મેળવો.
જણાવી દઈએ કે ક્રેડિટ સ્કોર એ ત્રણ નંબરનો સ્કોર છે. વિવિધ ક્રેડિટ બ્યુરો અથવા ક્રેડિટ માહિતી કંપનીઓ તેમના પોતાના ક્રેડિટ સ્કોર્સ તૈયાર કરે છે. આમાં CIBIL સ્કોર સૌથી લોકપ્રિય છે. 700 થી 750 નો ક્રેડિટ સ્કોર સારો માનવામાં આવે છે. સારો ક્રેડિટ સ્કોર લોનની તકો વધારે છે અને વ્યાજ દર ઘટાડે છે.
વધુ વાંચો: હોળીમાં કલર લગાડેલી ચલણી નોટ ચાલશે કે નહીં? શું કહે છે RBIનો નિયમ
લોન લેતી વખતે ઓફર પહેલાથી સ્વીકારશો નહીં, અલગ બેંકો સાથે વાત કરો અને તેમના વ્યાજ દરોની તુલના કરો. જો અન્ય બેંકો તમને પહેલાની તુલનામાં ઓછા વ્યાજ દર ઓફર કરે છે, તો બેંકને પહેલા જાણ કરો. આવી સ્થિતિમાં, પ્રથમ બેંક વ્યાજ દર સાથે મેચ કરી શકે છે અથવા અન્ય બેંકો કરતા ઓછા વ્યાજ દર ઓફર કરી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh