બ્રેકિંગ ન્યુઝ
હોળી વખતે ઘણી વખત કલર લાગવાના કારણે કપડાની સાથે ખીસ્સામાં રાખેલી નોટ પણ રંગીન થઈ જાય છે. શું તમે જાણો છો કે આ કલર નોટને લઈને આરબીઆઈનો શું નિયમ છે? અને બજારમાં આ નોટોને કેવી રીતે ચલાવી શકાય છે?
ADVERTISEMENT

રંગીન નોટ
ઘણી વખત એવું થાય છે કે તમારા પર કોઈ રંગ નાખે ત્યારે ખિસ્સામાં રહેલી ચલણી નોટો પણ રંગીન થઈ જાય છે. આવી સ્થિતિમાં જ્યારે તમે આ નોટોને કોઈ દુકાનદારને આપો છો તો તેને લેવાનો ઈનકાર કરી દે છે. પરંતુ જો તમે તેને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમ બતાવશો તો તે આ નોટો લેવાનો ઈનકાર નહીં કરે. કારણ કે આરબીઆઈનો નિયમ છે કે કલર લાગેલી નોટને લેવાથી કોઈ પણ દુકાનદાર ઈનકાર નથી કરી શકતો.
ADVERTISEMENT

ફાટેલી નોટ
હોળીમાં ઘણી વખત એવું થાય છે કે પલડી જવાના કારણે નોટ ફાટી જાય છે. આવી સ્થિતિમાં તમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમ અનુસાર દેશની બધી બેંકોમાં જુની ફાટેલી નોટો વળેલી નોટોને લઈ જઈને બદલાવી શકો છો. તેના માટે બેંક દ્વારા કોઈ ચાર્જ લેવામાં નથી આવતો.
ADVERTISEMENT
નોટના કેટલા પૈસા પરત મળશે?
કોઈ પણ ફાટેલી નોટને બેંકમાં બદલવા પર બેંક તમને તે નોટની સ્થિતિના અનુસાર પૈસા પરત કરે છે. ઉદાહરણ તરીકે 2000 રૂપિયાની નોટનો 88 વર્ગ સેન્ટીમીટર હોવા પર સંપૂર્ણ પૈસા મળશે. પરંતુ 44 વર્ગ સીએમ પર અડધુ મૂલ્ય મળશે.
.jpg)
ADVERTISEMENT
આવી જ રીતે 200 રૂપિયા ફાટેલી નોટમાં 78 વર્ગ સીમી ભાગ આપવા પર સંપૂર્ણ પૈસા મળશે. પરંતુ 39 વર્ગ સીએમ પર અડધા પૈસા જ મળે છે. જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકના નિયમ અનુસાર દરેક બેંકને જુની ફાટેલી કે વળેલી નોટો સ્વીકાર કરવી પડે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.