બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Vaidehi
Last Updated: 05:00 PM, 27 July 2023
પાણી, હવા અને માટીનાં કારણે કાનમાં ગંદકી જમા થવા લાગે છે. તેને ઈયરવેક્સ કહેવામાં આવે છે. તેને સાફ કરવા માટે લોકો કોટન બડ્સનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ શું આ કોટન બડ્સનો ઉપયોગ કરવો યોગ્ય છે? શું તેના લીધે સાફ થવાની જગ્યાએ કાનને નુક્સાન પણ પહોંચી શકે છે?
કોટન બડ્સનો ઉપયોગ નુક્સાનકારક
ડોક્ટર્સ કહે છે કે કાનને સાફ કરવા માટે કોટન બડ્સનો ઉપયોગ નુક્સાનકારક છે. કોટન બડ્સને જ્યારે કાનની અંદર નાખવામાં આવે છે ત્યારે એ ગંદકી બહાર નિકળવાની જગ્યાએ મેલને અંદરની તરફ ધકેલે છે જેના લીધે કાનમાં ઈન્ફેક્શનનો રિસ્ક વધી જાય છે. તેનાથી કાનની અંદર કટ પણ લાગી શકે છે. કોટન બડ્સ કાનની અંદરની વૉલને પણ નુક્સાન પહોંચાડી શકે છે. પરિણામે સાંભળવાની ક્ષમતા પણ ઘટવા માંડે છે.
ઈયર કેનાલમાં ધકેલાય છે ગંદકી
ENT સર્જન જણાવે છે કે કાનમાં ઈયરવેક્સ બનવાની પ્રોસેસ હોય છે. આ ઈયરવેક્સ કાનને પ્રોટેક્ટ પણ કરે છે પરંતુ જો જરૂરથી વધારે જમા થાય તો નુક્સાન પણ પહોંચાડી શકે છે. લોકો કોટન બડ્સથી કાનને સાફ કરે છે પરંતુ સફાઈ કરતાં સમયે કાનની અંદર રહેલી ગંદકી ઈયર કેનાલમાં જઈ શકે છે. આ મેલની સાથે રહેલા બેક્ટેરિયા કાનનાં પડદાને નુક્સાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં જો આ બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય તો અનેક ગંભીર પ્રકારની સમસ્યાઓ પણ થઈ શકે છે. તેવામાં કોટન બડ્સનો ઉપયોગ ટાળવો જોઈએ.
કેવી રીતે કરવી કાનની સફાઈ?
આપણું શરીર પોતાના વિવિધ ભાગોને જાતે જ સાફ કરી દેવાની ક્ષમતા ધરાવે છે. તેવી જ રીતે કાન પણ પોતે જ સાફ થઈ જાય છે. જો તમને તમારા કાનની સફાઈ જાતે કરવી છે તો તેની બેસ્ટ રીત છે કે તમે કાનમાં ઓઈલ નાખો. નારિયેળ તેલ અથવા બેબી ઓઈલ શ્રેષ્ઠ ઉપાય છે. તેલને કાનમાં નાખવાથી તેમા રહેલી ગંદકી બહાર તરફ આવી જાય છે અને કપડાની મદદથી તમે સરળતાથી તેને કાઢી શકો છો. આ સિવાય નહાવા સમયે કાનની અંદર થોડું પાણી નાખવાથી પોતે જ કાન સાફ થઈ જશે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir