IPL 2023 opening ceremony : IPL 2023ની તૈયારી પુર જોશમાં છે. દરેક ટીમના કેપ્ટન અમદાવાદમાં છે. અહીં શુક્રવારે CSK અને GTની વચ્ચે પહેલી મેચ થશે.
આજથી શરૂ થવા જઈ રહી છે IPL 2023
અમદાવાગમાં પહોંચ્યા દરેક ટીમના કેપ્ટન
CSK અને GT વચ્ચે રમાશે પહેલી મેચ
આજે IPLની શરૂઆત થવા જઈ રહી છે. પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સની વચ્ચે રમાશે. એટલે કે એમએસ ધોની અને હાર્દિક પંડ્યા વચ્ચે ટક્કર થશે. IPLની મેચ સાડા સાત વાગ્યે શરૂ થશે. ત્યાં જ સાત વાગ્યે ટોસ થશે. પરંતુ પહેલા દિવસે ઓપનિંગ સેરેમની પણ છે. જેમાં સિનેમા જગતની મોટી મોટી હસ્તિઓ શામેલ થશે.
6 વાગ્યે શરૂ થશે IPL ઓપનિંગ સેરેમની
આ કાર્યક્રમ શાંજે છ વાગ્યાથી શરૂ થઈ જશે. જ્યારે લગભગ એક કલાક સુધી ચાલશે. આ વચ્ચે બધી ટીમના કેપ્ટનની જાહેરાત કરી દેવામાં આવી છે. મેગા ઓક્શન બાદ એક જ ટીમ એવી હતી જેણે પોતાના કેપ્ટનના નામની જાહેરાત કરી હતી. તે હતી સનરાઈઝર્સ હૈદરાબાદ, પરંતુ 30 ડિસેમ્બરે રિષભ પંત એક માર્ગ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ તે IPLથી બહાર થઈ ગયા.
પરંતુ દિલ્હી કેપિટલ્સ પર પણ બધાની નજર હતી. ડીસીએ ડેવિડ વોર્નરને પોતાનો નવો કેપ્ટન બનાવ્યો છે. ત્યાં જ સનરાઈઝર્સ હૈદરાબાદે હાલમાં જ જાહેરાત કરી હતી કે એડન માર્કરમ તેમના કેપ્ટન હશે. પરંતુ ટીમ માટે તે સમયે મુશ્કેલી આવી જ્યારે જાણકારી મળી કે પહેલી મેચમાં એડન માર્કરમ નહીં રમી શકે.
પહેલી મેચમાં ભુવનેશ્વર કુમાર સંભાળી શકે છે SRHની કમાન
આ વચ્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે એક સૌથી મોટો સવાલ એ હતો કે પહેલી મેચમાં ટીમના કેપ્ટન કોણ હશે. આમ તો ટીમની પાસે બે ઓપ્શન છે.
પહેલો ભુવનેશ્વર કુમાર જે છેલ્લા ઘણા વર્ષોથી ટીમની સાથે જોડાયેલા છે અને વચ્ચે વચ્ચે કેપ્ટનસી પણ કરતા રહે છે. ત્યાં જ મયંક અગ્રવાલના રૂપમાં એક બીજો વિકલ્પ હતો. જે આ પહેલા પંજાબ કિંગ્સની કેપ્ટનસી એક સીઝન માટે કરી ચુક્યા છે.
ઓરેન્જ જર્સીમાં સામે આવ્યા ભુવનેશ કુમાર
પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે ભુવનેશ કુમાર જ નેક્સ્ટ કેપ્ટન હશે. જોકે ટીમની તરફથી હજુ સુધી કોઈ ઓફિશ્યલ એલાન નથી કરવામાં આવ્યું પરંતુ આઈપીએલના એક દિવસ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે પણ બધી ટીમોના કેપ્ટનની સાથે ફોટો સેશન થયું તો નવ ટીમોના કેપ્ટન હાજર હતા.
પરંતુ દરેકની નજર એ વાત પર ટકેલી હતી કે ઓરેન્જ જર્સીમાં કોણ આવશે. થોડા જ સમય બાદ ભુવનેશ્વર કુમાર SRHની નવી જર્સીમાં આવે છે અને તેના બાદ એટકળો લગાવવામાં આવી રહી છે કે ટીમની કમાન પહેલી મેચમાં ભુવનેશ્વર કુમારના હાથમાં આવી શકે છે. જે ટીમના ભરોશાપાત્ર અને અનુભવી ખેલાડી છે.
બીજી મેચ પહેલા પોતાની ટીમ સાથે જોડાશે કેપ્ટન એડન માર્કરમ
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આઈપીએલ 2023માં પોતાનો પહેલો મુકાબલો રમ્યા બાદ બે એપ્રિલે ઉતરશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં દિવસમાં ત્રણ વાગ્યાથી રમાશે. તે દિવસે રવિવાર છે. માટે બે મેચ રમાશે.
હૈદરાબાદની ટીમ પોતાના ઘર પર રાજસ્થાન રોયલ્સના વિરૂદ્ધ ઉતરશે. ત્યાર બાદ ટીમની બીજી મેચ સાત એપ્રિલે થશે. જ્યારે ટીમ એલએસજીની સામે ઉતરશે. ત્યાર બાદ ટીમનું નેક્સ્ટ મુકાબલો સાત એપ્રિલે થશે. જ્યારે ટીમ એલએસજીની સામે ઉતરશે. આ મેચ લખનૌઉના ઈકાના સ્ટેડિયમમાં થશે.
ત્યાં સુધી ટીમના કેપ્ટન એડન માર્કરમ આવી જશે અને તેમાં તે પહેલી વખત પોતાની ટીમની કેપ્ટન્સી કરતા જોવા મળશે. હવે આશા છે કે જલ્દી જ SRHની તરફથી તેની ઓફિશ્યલ જાહેરાત કરવામાં આવશે કે પહેલી મેચમાં તેમના કેપ્ટન ભુવનેશ્વર કુમાર હશે.