બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / indian army Ansar Ghazwat-ul-Hind

કાશ્મીર / સેનાએ આતંકીઓની તોડી કમર, અંસાર ગજવાત ઉલ હિંદનો થયો સફાયો

Divyesh

Last Updated: 09:06 AM, 23 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાશ્મીર ઘાટીમાં આતંકીઓને મોટો ઝટકો લાગ્યો છે. સેનાના સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઘાટીમાં અંસાર ગજવાત ઉલ હિંદ આતંકી સંગઠનનો સફાયો થઇ ગયો છે. આ આતંકી સંગઠનનનો મુખ્ય ચીફ જાકિર મૂસા હતો, જેના મોત બાદ અબ્દૂલ હમીદ લલહારીએ કમાન સંભાળી હતી.

  • કાશ્મીર ઘાટીમાંથી ગજવાત ઉલ હિંદનો સફાયો
  • હમીદ લલહારીને સેનાએ ઠાર માર્યો
  • જાકિર મૂસા બાદ બન્યો હતો ચીફ

સેનાએ હમીદ લલાહીને ઠાર માર્યો

ભારતીય સૂરક્ષાબળોએ મંગળવારે અબ્દૂલ હમીદ લલહારીને ઠાર માર્યો. તેની સાથે  એક વધુ આતંકીને સુરક્ષાબળે ઠાર માર્યો છે જેની ઓળખ નાવેદ હુસેન તરીકે કરવામાં આવી હતી. 

જાકીર મુસા બાદ હમીદ લલહારીને સોંપાઇ હતી કમાન

આતંકી જાકીર મૂસાના મોત બાદ આતંકી સંગઠન અંસાર ગજવત ઉલ હિંદે પોતાના નવા ચીફની જાહેરાત કરી હતી. જાકીર મુસા બાદ જમ્મૂ-કાશ્મીરમાં ભય અને ગભરાટ ફેલાવાની જવાબદારી હામિદ લલહારી નામના આતંકીને સોંપવામાં આવી હતી. 

હામિદ લલહારી સ્થાનિક આતંકી હતો. હિજબુલ મુજાહુદ્દિન સાથે જોડાયેલ રહેલા મુસાને 27 જુલાઇ 2017ના રોજ અંસાર ગજવલ ઉલ હિંદનો ચીફ બનાવાયો હતો. અંસાર ગજવલ ઉલ હિંદ આતંકી સંગઠન અલ કાયદાની ભારતીય શાખાનું નામ છે. આ સંગઠનનું કામ ભારતમાં અલ કાયદાની ગતિવિધીને ફેલાવાનું છે. 

જાકીર મુસા નવો પોસ્ટર બોય હતો

જાકીર મુસા ચંદીગઢની કોલેજમાં એન્જિનયરિંગનું ભણતો હતો. પરંતુ અચાનક ભણતર છોડી થોડા સમય માટે ગાયબ થઇ ગયો હતો. થોડા સમય બાદ તે કાશ્મીરમાં આતંકી બની પરત ફર્યો. જાકીર મુસા જમ્મૂ-કાશ્મીરમાં બુરહાન વાણી બાદ આતંકનો નવો પોસ્ટર બોય હતો. સેના આતંકી જાકિર મુસાને પુલવામા નજીક ઠાર માર્યો હતો જ્યાં 2016માં સેનાએ હિજબુલ કમાન્ડર બુરહાન વાણીને ઠાર માર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ