બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Indian Ambassador meets 8 ex-Navy officers sentenced to death in Qatar; Prepared master plan

અપડેટ / કતારમાં મૃત્યુદંડની સજા પામેલા નેવીના 8 પૂર્વ ઓફિસરોને મળ્યા ભારતીય રાજદૂત; તૈયાર કર્યો માસ્ટર પ્લાન

Megha

Last Updated: 11:06 AM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કતારમાં મૃત્યુદંડની સજા પામેલ આઠ ભૂતપૂર્વ નેવી અધિકારીઓને ભારતના રાજદૂત મળ્યા છે. અરિંદમ બાગચીએએ આ વિશે કહ્યું 'આ એક સંવેદનશીલ મુદ્દો છે પરંતુ અમારાથી જે થઈ શકશે તે કરીશું."

  • કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 નેવી અધિકારીઓ સાથે ભારતીય રાજદૂતની મુલાકાત 
  • વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વિશે માહિતી આપી હતી 
  • તમામ કાયદાકીય અને કોન્સ્યુલર મદદ પૂરી પાડવામાં આવી રહી છે - બાગચી

કતારમાં જાસૂસીના કથિત આરોપોમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભૂતપૂર્વ નેવી અધિકારીઓ સાથે રવિવારે ભારતીય રાજદૂતે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વિશે માહિતી આપતા કહ્યું હતું કે "આ કેસમાં બે સુનાવણી થઈ છે. અમે પરિવારો વતી અપીલ દાખલ કરી હતી, ત્યારથી 23 અને 30 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમે કેસને નજીકથી ફોલો કરી રહ્યાં છીએ અને દરેક અપડેટ પર નજર રાખી રહ્યાં છીએ.

તમામ કાયદાકીય અને કોન્સ્યુલર મદદ પૂરી પાડવામાં આવી રહી છે 
બાગચીએ વધુમાં જણાવ્યું હતું કે, "આ મામલે તમામ કાયદાકીય અને કોન્સ્યુલર સહાય પૂરી પાડવામાં આવી રહી છે. દરમિયાન અમારા રાજદૂતને જેલમાં આ તમામ 8 લોકોને મળવા માટે 3 ડિસેમ્બરે કોન્સ્યુલર એક્સેસ મળ્યો. આ એક સંવેદનશીલ મુદ્દો છે, પરંતુ તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. અને અમે જે પણ શેર કરી શકીએ છીએ, અમે કરીશું." એક અહેવાલ અનુસાર ભૂતપૂર્વ નેવી અધિકારીઓ સાથે રાજદૂતની મુલાકાતને સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી છે. આગામી બેઠક ટૂંક સમયમાં યોજાશે.

COP28માં કતારના શાસક સાથે પીએમ મોદીની મુલાકાત  
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે COP28 ક્લાઇમેટ સમિટ દરમિયાન કતારના શાસક શેખ તમીમ બિન હમાદ અલ-થાની સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં શું ચર્ચા થઈ તેના પર બાગચીએ કહ્યું કે કોન્ફરન્સમાં બંને દેશો વચ્ચેના એકંદર દ્વિપક્ષીય સંબંધો તેમજ ભારતીય સમુદાયની સુખાકારી માટે સારી ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ કતારના શાસક સાથે નૌકાદળનો મુદ્દો ઉઠાવ્યો તે અંગે તેમણે કોઈ નક્કર માહિતી આપી ન હતી.

શું છે આખો મામલો? 
વાત એમ છે કે આ વર્ષે ઓક્ટોબરમાં કતાર કોર્ટે ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી . તેના પર કતારના સબમરીન પ્રોજેક્ટ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી ઈઝરાયેલને આપવાનો આરોપ છે. કતાર સરકારે આરોપો અંગે સત્તાવાર માહિતી આપી નથી. આ તમામ અધિકારીઓ દોહા સ્થિત અલ-દહરા નામની કંપનીમાં કામ કરતા હતા, જે નેવીને ટ્રેનિંગ આપે છે. તમામ લોકોની ઓગસ્ટ 2022માં ધરપકડ કરવામાં આવી હતી.

દોષિત ભૂતપૂર્વ  નેવી અધિકારીઓ કોણ છે? 
દોષિત અધિકારીઓમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર પૂર્ણન્દુ તિવારી, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશનો સમાવેશ થાય છે. કમાન્ડર તિવારીને 2019માં રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા અધિકારીઓમાં તે એકમાત્ર વ્યક્તિ છે જેને આ સન્માન મળ્યું છે. કતારમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂત અને કતાર ડિફેન્સ ફોર્સિસ ઇન્ટરનેશનલ મિલિટરી કોર્પોરેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ