બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / In Rajkot, the uncle's nephew made the minor pregnant by committing rape

"ઘોર કળિયુગ! / રાજકોટમાં કાકા-ભત્રીજાએ જ દુષ્કર્મ આચરી સગીરાને બનાવી સગર્ભા, જન્મેલા બાળકને વેચી માર્યું, ડૉક્ટરની પણ ધરપકડ"

Vishal Khamar

Last Updated: 11:57 AM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટનાં જસદણમાં 13 વર્ષની સગીરા માતા બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આ અંગે સગીરાની માતાએ કૌટુંબિક ભાઈ, દિયર, કાકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સગીરાઓના અપહરણના ગુના અને છેડતી તેમજ બળાત્કારની ફરિયાદો પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. આજે જસદણના ગ્રામીય પંથક માં રહેતા એક પરિવારની કિશોરી પર કૌટુંબીક કાકા-ભત્રીજાએ દુષ્કર્મ ગુજાર્યુ હતું આ બનાવમાં 13 વર્ષીય સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેમને હોસ્પિટલે લઈ જવાતા કિશોરી ગર્ભવતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ મામલે કિશોરીના પિતાએ તેમના કૌટુંબીક કાકાનો સંપર્ક કરતા તેઓએ પુરાવાનો નાશ કરવા સગીરાના પરિવારને જસદણમાં શ્રીજી ક્લિનિક ધરાવતા તબીબ પાસેથી લઈ ગયા હતાં અને ત્યાં બાળકનો જન્મ થયા બાદ બાળકને કમળાપુર ગામે વેચી મામલો રફેદફે કરવા જતાં કિશોરીના માતા-પિતાએ તુરંત પોલીસનો સંપર્ક કરતા કાકા-ભત્રીજા અને તબીબને સકંજામાં લઈ પોક્સો, દુષ્કર્મ, પુરાવાનો નાશ કરવો અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે.

ત્રણ વ્યક્તિને સકંજામાં લઈ પૂછપરછ શરૂ કરી
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓના પતિ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓની 13 વર્ષની દિકરીને થોડા દિવસો પહેલા પેટમાં દુખાવો થતાં તેઓને હોસ્પિટલે લઈ ગયા હતાં ત્યાંથી કિશોરી ગર્ભવતી હોવાની તપાસમાં ખુલ્યું હતું. આ મામલે ગભરાઈ ગયેલા કિશોરીના માતા-પિતાએ તેઓના કૌટુંબીક કાકા ને  હકીકત જણાવી હતી. જે મામલે સગીરા પર કાકા અને ભત્રીજા એ  દુષ્કર્મ ગુજાર્યુ હોવાનું કિશોરીની આકરી પુછપરછમાં ખુલ્યું હતું. આ મામલે આરોપીઓ કુટુંબના જ વ્યક્તિઓ હોય જેથી મામલો રફેદફે કરવા માટે તુરંત ગામમાં રહેતા ડો. રાદડિયા જેઓ શ્રીજી ક્લિનિક ધરાવે છે. તેનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ સગીરાના માતા-પિતાને ધમકી આપી હતી કે હું કહું તેટલુ જ કરવાનું રહેશે નહીં તો તમારી આબરૂ ગામમાં જતી રહેશે જેથી કિશોરીના માતા-પિતા સહમત થયા હતાં અને કિશોરીના માતા-પિતા સગીરાને શ્રીજી ક્લિનિકમાં ડો. રાદડિયાને ત્યાં લઈ ગયા હતા ત્યાં કિશોરીએ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ કિશોરીને અને તેમના માતાપિતાને ઘરે મોકલી દીધા હતાં ડો. રાદડિયા  ભત્રીજા એ આ બાળક કમળાપુરમાં રહેતા એક દંપતિને વેંચી દીધું હતું. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા જસદણ પોલીસ મથકનાપીઆઈ ટી.બી. જાનીએ બનાવની ગંભીરતાથી લઈ તુરંત ક્લિનિક ધરાવતા ડો. રાદડિયા સહિત ત્રણ વ્યક્તિને સકંજામાં લઈ પુછપરછ શરૂ કરી છે.

બાળક લેનારની ભૂમિકા પણ તપાસમાં આવશે: તપાસકર્તા અધિકારી
જસદણમાં 13 વર્ષની સગીરા પર બળાત્કારની ઘટનામાં સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ તબીબ અને તેમના કૌટુંબીક કાકાએ બાળકને ગામમાં રહેતા એક દંપતિને વેંચી નાખ્યું હતું આ ઘટનામાં તપાસ કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, બાળક કેટલા રૂપિયામાં વેચ્યુ અને બાળક લેનાર દંપતિની આ ઘટનામાં શું ભૂમિકા છે તેની તપાસ થઈ રહી છે. આ ઘટનાના પગલે જો બાળક લેનાર દંપતિની આ ગુનામાં કોઈ સંડોવણી હશે તો તેઓને પણ આરોપી બનાવાશે તેમ તપાસ કર્તા અધિકારીએ જણાવ્યું હતું.

વધુ વાંચોઃ બોટાદના કુંભારા ગામે પીકઅપ વાને પલટી મારતા 2ના મોત, 25 લોકો ઇજાગ્રસ્ત

ડો. રાદડિયાએ સગીરા સગર્ભા હોવાની પોલીસને જાણ ન કરી
જસદણ પંથકની 13 વર્ષની સગીરાને આંઠ મહિનાનું ગર્ભ હોવાનું ખુલતા તેમણે કૌટુંબીક ભત્રીજો  તેમના માતા-પિતાને જણાવી ડિલેવરી માટે ડો. રાદડિયા પાસે શ્રીજી ક્લિનિકમાં લઈ ગયા હતાં. સામાન્ય રીતે કોઈ 18 વર્ષથી ઓછી ઉમરની સગીરા ગર્ભવતી હોય ત્યારે તબીબ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે અને એમ.એલ.સી. નોંધવામાં આવે છે. ત્યારે આ ઘટનામાં ડો. રાદડિયાએ સગીરા સગર્ભા હોવાનું જાણવા છતાં બનાવ છુપાવી અને સગીરાની પ્રસૃતિ કરાવી હતી. તેમજ જે બાળકને જન્મ આપ્યો તે બાળક કમળાપુર ગામે વેચી નાખ્યું હતું. આ ઘટનાને લઈ ડો. રાદડિયાને પણ આરોપી બનાવાયા છે તેમણે પુરાવાનો નાશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ