બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Ronak
Last Updated: 02:14 PM, 17 November 2021
રાજકોટ ભાજપમાં અંદરોઅંદર વિખવાદ સર્જાયો છે. જે વિખવાદ હવે ચરમસીમાએ પહોચી ગયો છે. ભાજપના કાર્યાલય ખાતે વિજય રૂપાણીના નામ આગળ મુખ્યમંત્રી વાળી તખ્તી મુકવામાં આવી હતી. જેને લઈને વીટીવી દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો તો તે તક્તીમાં બાદમાં બદલાવ કરવામાં આવ્યો છે.
નામ આગળ પૂર્વ લગાવામાં આવ્યું
પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીની તક્તીમાં આગળ હવે પૂર્વ લગાવી દેવામાં આવ્યું છે. પહેલા તેમની તક્તીમાં આગળ મુખ્યમંત્રી વિજયરૂપાણી લખાયેલું હતું જોકે હવે તેમની તક્તી પાસે પૂર્વ મુખ્યમંત્રી લખવામાં આવ્યું છે. મહત્વનું છે કે વીટીવીના અહેવાલ બાદ તક્તી પર મુખ્યમંત્રી વિજયરૂપાણીની જગ્યાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું લખવામાં આવ્યું છે.
ભાજપમાં આંતરિક વિખવાદ વધ્યો
બીજી તરફ રાજકોટમાં હવે દિવસેને દિવસે ભાજપનો આંતરિક વિખવાદ વધી રહ્યો છે. અંદરો અંદર બે જૂથો વચ્ચે વિખવાદ સર્જાયો હોય તેવી માહિતી સામે આવી છે. આ આંતરિક જૂથવાદને કારણે પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની હાજરીમાં મળનારૂ સ્નેહ મિલન પણ રદ કરી દેવામાં આવ્યું છે. જેને લઈને આ મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આમંત્રણ પત્રિકામાં વિજયરૂપાણીની બાદબાકી
આગામી 20 નવેમ્બરના રોજ સ્નેહમિલન યોજાવાનું હતું, જેમા જનસંઘથી ભાજપ સુદીના તમામ કાર્યકરો માટે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આમંત્રણ પત્રિકામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નામ ન હતું. જેના કારણે આમંત્રણ પત્રિકામાં વિજયરૂપાણી બાદબાકી થતા આ વિવાદ સર્જાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા