બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Extra / impact-of-the-okhi-hurricane-shook-the-ship-in-pipavav-amreli-sea

NULL / "ઓખી" વાવાઝોડાની અસર અમરેલીના દરિયામાં પીપાવાવમાં જહાજ ફંગોળાયા

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમરેલીઃ કેરળ-તમિલનાડુમાં હાહાકાર મચાવનાર ઓખી વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે. ગુજરાતના કાંઠા વિસ્તારોમાં અચાનક દરિયાઇ પવનો ફૂંકાયા છે. સાથે પીપાવાવમા પણ વરસાદી છાંટા જોવા મળ્યા હતા.

જેને લઇ પીપાવાવ પોર્ટને ભારે નુકસાન થવા પામ્યું છે. જેને લઇ પીપાવાવ પોર્ટને 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. પવન એટલો ભયાનક ઝડપે આવ્યો કે જહાજના લંગરનાં લોખંડી દોરડા બે વખત પવનના કારણે તૂટી ગયા હતા.

જ્યારે આ પવનની જપેડમાં ગેસ જહાજ આવતા ફંગોળાઇ ગયું હતું. ગેસ શિપને અન્ય સ્થળે ખસેવા માટે તંત્રને તાત્કાલીક આદેશ કરવામાં આવ્યો છે. અંદાજિત 24 લાખથી વધુનું નુકસાન થવા પામ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સવારથી ગુજરાતના દરિયાકાંઠા પર વરસાદી પવન ફૂંકાતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજું ઓખી વાવાઝોડાની અસર અમરેલીમાં જોવા મળી હતી. ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો છે. સાવરકુડંલા અને દરિયાકાઠે આવેલા રાજુલા જાફરાબાદ પંથકમા વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુ પાસે આવેલ ઓખી નામનુ વાવાઝોડું હવે દિશા બદલી રહ્યુ છે. મોસમ વિભાગ મુજબ આવતીકાલે વાવઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ગીરથી લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે.

જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તંત્ર અલર્ટ થયુ છે. વાવાઝોડાની અસરના કારણે દરિયામાંથી માછીમારોને પરત આવવા માટેના સુચનો પણ આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત વીજ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓ સતર્ક થયા છે. જ્યારે પ્રભાવિત વિસ્તામાં લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. રાજ્યમાં વાવાઝોડાની અસરના કારણે દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમો ગોઠવી દેવામાં આવી છે.

ત્યારે હવે સુરતમાં 2 નવસારીમાં 2 અને રાજકોટમાં 2 ટીમો પહોંચી છે. આ ઉપરાંત વાવઝોડાની વધુ અસર થાય તો તંત્ર દ્વારા નેવી એરફોર્સ અને BSFના જવાનોની પણ મદદ લેવામાં આવશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ