બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If these symptoms are seen in people who already have high blood pressure
Last Updated: 03:10 PM, 14 January 2024
ADVERTISEMENT
શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકનું જોખમ સૌથી વધુ વધી જતું હોય છે. તેમાં પણ કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો નોંધાવી રહ્યો છે. શિયાળામાં નીચા તાપમાનના પરિણામે હૃદયની નશો સંકોચાય છે જેને લઈને હાઈ બીપીના દર્દીઓની સમસ્યા આ સીઝનમાં સૌથી વધુ જોવા મળતી હોય છે. આ દર્દીઓ તેમના સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન ન રાખે તો હાર્ટ એટેકનું જોખમ અમુક અંશે વધી જતું હોય છે. ત્યારે અમેરિકન હાર્ટ એસો. ના રિપોર્ટ અનુસાર હાઈ બીપીમાં 20 થી 30 ટકા દર્દીઓને હાર્ટ એટેક આવે છે. આથી શિયાળામાં આવા કિસ્સાઓથી બચવું જોઈએ.

ADVERTISEMENT
એસીજી, એક્સ રે અથવા ઇક્કો દ્વારા સારવાર
આ મામલે રાજીવ ગાંધી હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર અજીત જૈન જણાવે છે કે કોઈપણ કામ કર્યા વગર જો તમને હૃદયના ધબકારા વધતા અનુભવાય તો સતર્ક રહેવું જોઈએ. આ સમસ્યા દરરોજ ચાલુ રહે તો તેને અવગણવાને બદલે તાત્કાલિક હોસ્પિટલમાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડોક્ટર તપાસી એસીજી, એક્સ રે અથવા ઇક્કો દ્વારા શોધી કાઢવામાં આવે છે.
છાતીમાં દુખાવો થવોએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ
આ ઉપરાંત છાતીમાં દુખાવો થવોએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જો તમને છાતીની ડાબી બાજુમાં દુખાવો થાય અનેં તે હાથ બાદ ડાબા ઝડબા સુધી વિસ્તરે તો આ દુ:ખાવાને હળવા હાથે લેવાને બદલે તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.
ADVERTISEMENT
વધુ વાચો:વધારે પડતું જંક ફૂડ છે સ્વાસ્થ્ય માટે હાનિકારક, ચેતી જજો, નહીં તો બાળકો બનશે લિવર કેન્સરના શિકાર
આહારમાં પણ ખૂબ કાળજી રાખવી
હાઈ બીપીના દર્દીઓએ દર બીજા કે ત્રીજા દિવસે તેમનું બ્લડપ્રેશર તપાસવું જોઈએ. આ ઉપરાંત આહારમાં પણ ખૂબ કાળજી રાખવી જોઈએ તેમજ તબીબની સલાહ લીધા વગર આહાર લેવો જોઈએ નહીં. વધુમાં આહારમાંથી મીઠું, ખાંડ, લોટ, આલ્કોહોલ અને મસાલેદાર તથા જંક ફૂડ વસ્તુઓને દૂર કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.