બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / 'I don't want to contest elections but', MP Kailash Vijayvargiya made a big statement after getting ticket, see what he said

પ્રતિક્રિયા / 'હું ચૂંટણી નથી લડવા ઇચ્છતો પરંતુ...', MPમાં કૈલાશ વિજયવર્ગીયને ટિકિટ મળતા આપ્યું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

Megha

Last Updated: 09:40 AM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી જેમાં પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયને ટિકિટ આપવામાં આવી, એમને કહ્યું 'મેં પહેલા જ કહ્યું હતું કે હું ચૂંટણી લડવા માંગતો નથી પણ..'

  • ભાજપે મધ્યપ્રદેશમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી 
  • 39 ઉમેદવારોમાંથી ભાજપે 7 સાંસદોને મેદાનમાં ઉતાર્યા
  • કૈલાશ વિજયવર્ગીયને ઈન્દોર-1થી ટિકિટ આપવામાં આવી

ભાજપે મધ્યપ્રદેશમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી જેમાં વિધાનસભા ચૂંટણી માટે 39 ઉમેદવારોમાંથી ભાજપે 7 સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના એક રાષ્ટ્રીય મહાસચિવ છે. 

કૈલાશ વિજયવર્ગીયને ઈન્દોર-1થી ટિકિટ આપવામાં આવી
નોંધનીય છે કે પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયને ઈન્દોર-1થી ટિકિટ આપવામાં આવી છે અને ટિકિટ મળ્યા બાદ બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મેં પાર્ટીને પહેલા જ કહ્યું હતું કે હું ચૂંટણી લડવા માંગતો નથી પણ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ગઈકાલે મને કેટલીક સૂચનાઓ આપી હતી. જ્યારે ટિકિટની જાહેરાત કરવામાં આવી ત્યારે હું અસમંજસમાં હતો અને આશ્ચર્યચકિત થયો હતો.

ટિકિટની જાહેરાત કરવામાં આવી ત્યારે હું અસમંજસમાં હતો
કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, ' આ પાર્ટીનો આદેશ છે, મને કહેવામાં આવ્યું હતું કે એક કામ સોંપવામાં આવશે, અને એ કામને હું 'ના' નહીં કહી શકું. મારે એ કામ કરવું જ પડશે. જ્યારે ટિકિટની જાહેરાત થઈ ત્યારે મને પણ આશ્ચર્ય થયું. ભાજપ બે તૃતિયાંશ બહુમતી તરફ આગળ વધી ગયું છે. તેમાંથી અમને કેટલી સીટો મળશે તે તો સમય જ કહેશે.' 

મેં હંમેશા વિકાસની રાજનીતિ કરી છે - વિજયવર્ગીય
વિજયવર્ગીયએ આ વિશે વાત કરતાં આગળ કહ્યું કે 'આ સૌભાગ્યની વાત છે કે મને ચૂંટણીની રાજનીતિમાં ભાગ લેવાની તક મળી અને હું પાર્ટીની અપેક્ષાઓ પૂરી કરવાનો પ્રયાસ કરીશ. હું ચૂંટણી નથી લડતો પરંતુ અમારા કાર્યકરો ચૂંટણી લડે છે. '  આ દરમિયાન વિજયવર્ગીયએ એમ પણ કહ્યું કે 'મેં હંમેશા વિકાસની રાજનીતિ કરી છે. '

ભાજપે આ મોટા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે
નરેન્દ્રસિંહ તોમર, મંત્રી 
પ્રહલાદ પટેલ, મંત્રી 
ફગ્ગન સિંહ કુલસ્તે, મંત્રી 
રાકેશ સિંહ, સાંસદ 
રીતિ પાઠક, સાંસદ 
ગણેશ સિંહ, સાંસદ 
ઉદય પ્રતાપ સિંહ, સાંસદ 
કૈલાશ વિજયવર્ગીય, જનરલ સેક્રેટરી  
 
થોડા દિવસ પહેલા ભાજપે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા પણ ભાજપે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ લિસ્ટની ખાસ વાત એ હતી કે આ એ જગ્યાઓની હતી જ્યાં પાર્ટીને 2018માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ યાદીમાં ઘણા જૂના ચહેરાઓ સાથે નવા લોકોને તક આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ