બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / Henceforth Aadhar Card will not be required for registration of this work
Priyakant
Last Updated: 02:28 PM, 29 June 2023
લોકોને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે હવે જન્મ-મરણ પ્રમાણપત્રની નોંધણીમાં આધાર નંબરની જરૂરિયાત નાબૂદ કરી દીધી છે. અગાઉ આધારકાર્ડ વગર પ્રમાણપત્ર ન આપવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર વતી રજિસ્ટ્રાર જનરલ (RGI) કાર્યાલયને દેશમાં જન્મ અને મૃત્યુ નોંધણી દરમિયાન આધાર પ્રમાણીકરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે આવી નોંધણી માટે આધારને ફરજિયાત બનાવવામાં આવ્યું નથી.
અહેવાલો અનુસાર મંગળવાર 27 જૂન 2023ના રોજ જાહેર કરાયેલી સૂચના અનુસાર ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MEiTY) એ RGI ને જન્મ અને મૃત્યુ નોંધણી પ્રક્રિયામાં ઓળખ ચકાસણી માટે આધાર ડેટાબેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. જોકે તેમાં ઉમેર્યું હતું કે, જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969 હેઠળ નિયુક્ત કરાયેલા રજિસ્ટ્રારને રિપોર્ટિંગ ફોર્મમાં માંગવામાં આવેલી અન્ય વિગતો સાથે એકત્રિત કરવામાં આવતા આધાર નંબરની ચકાસણી માટે સ્વૈચ્છિક ધોરણે હા અથવા ના નો વિકલ્પ આપવામાં આવશે. એટલે કે હવે તમે આધાર કાર્ડ વગર પણ આ કામ સરળતાથી કરી શકશો.
દિશાનિર્દેશોનું પાલન કરવું પડશે
સૂચનામાં જણાવાયું છે કે, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો વહીવટી આધાર ચકાસણીના ઉપયોગ અંગે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી તકનીક મંત્રાલય દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરશે. ધારાધોરણો મુજબ આ સંદર્ભે આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરવા ઈચ્છતી રાજ્ય સરકારો તેને ન્યાયી ઠેરવવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરશે અને તેને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના સંદર્ભમાં કેન્દ્ર સરકાર સમક્ષ મૂકશે.
અહી નોંધનીય છે કે, 2020માં તે નિયમો IT મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સુશાસન માટે જનતાના નાણાંનો બગાડ અટકાવે અને જીવનની સરળતાને પ્રોત્સાહન સંસ્થાઓને વિનંતી કરી આધાર માટે ચકાસણી અથવા પ્રમાણપત્ર મંજૂર કરી શકે છે.
નવા બાળકના જન્મ પર ઓળખ જરૂરી
સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર નવા બાળકના જન્મના કિસ્સામાં માતા-પિતા અને માહિતી આપનારની ઓળખ આપવી જરૂરી છે. કેન્દ્ર વતી આ વ્યવસ્થા બાળકના માતા-પિતા અને જન્મ કે મૃત્યુના કિસ્સામાં જન્મ સમયે માહિતી આપનારની ઓળખ સ્થાપિત કરવાના હેતુ માટે છે. જ્યારે મૃત્યુના કિસ્સામાં માતા-પિતા, જીવનસાથી અને માહિતી આપનારની ઓળખ સ્થાપના હેતુ માટે અમલમાં મૂકાયેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir