બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hearing will be held in the High Court tomorrow in the suicide case of Dr. Atul Chag
Malay
Last Updated: 12:20 PM, 12 March 2023
વેરાવળના નામાંકિત તબીબ ડોક્ટર અતુલ ચગના આપઘાતને આજે એક મહિનો થઈ ગયો હોવા છતાં વેરાવળ પોલીસે FIR નોંધી નથી. જેથી મૃતકના પરિવારજનોએ ન્યાય માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મૃતકના પરિવારજનોએ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની હાઈકોર્ટમાં અપીલ કરી છે. જે મામલે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાશે. પોલીસે ફરિયાદ ન લેતા કન્ટેપટ ઓફ કોર્ટ અંગે આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી યોજાશે. મહત્વનું છે કે, મૃતકના પરિવારજનો જુનાગઢ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને સાંસદના પિતા નારણભાઈ ચુડાસમા સામે FIRની માંગ કરી રહ્યા છે.
પોલીસ આપી રહી છે આશ્વાસન
આ મામલે ચગ પરિવારના વકીલ ચિરાગ કક્કડે જણાવ્યું હતું કે, બનાવ 12 ફેબ્રુઆરીનો છે. આપઘાત કરીને ડોક્ટરે મોતને વ્હાલું કર્યું છે. સુસાઈડ નોટમાં સ્પષ્ટ નામ લખ્યા છે. છતાં પોલીસ સમાજ અને પરિવારને આશ્વાસન આપી રહી છે. પોલીસ ફરજ નિભાવી રહી નથી. સુપ્રીમ કોર્ટના સુચન મુજબ પોલીસે ત્વરિત ફરિયાદ લેવાની હોય છે.
પરિવારજનોનો આક્ષેપ
પરિવારજનોએ કહ્યું હતું કે, અતુલ ચગે રાજેશ ચુડાસમાના પિતાનો જીવ બચાવ્યો હતો. આમ છતાં તેમણે અતુલ ચગનો જીવ લીધો છે. વધુમાં પરિવારના સભ્યોએ કહ્યું કે, ડૉ.અતુલ ચગ આર્થિક કારણથી આવું પગલું ક્યારેય ભરે નહીં. તે મજબૂત મનોબળના માનવી હતા. અતુલ ચગે પોતાના જીવનમાં અનેક ચડાવ-ઉતાર જોયા છે. જેથી તેઓ આર્થિક કારણોસર આત્મહત્યા જેવું પગલું ભરી શકે નહીં.
ન્યાય આપવાની માગ
અતુલ ચગના આપઘાત બાદ સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં નારણ નામના વ્યક્તિ અને રાજેશ ચુડાસમાનું નામ હતું. જેથી રઘુવંશી ક્રાંતિ મંચના ઉપપ્રમુખે રાજકીય વગ ધરાવતા લોકોને આપઘાત માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથે જ તેમણે સુસાઇડ નોટમાં રાજકીય વગ ધરાવતા લોકોના નામ હોવાનું નિવેદન આપ્યું હતું. જવાબદાર લોકો સામે નક્કર કાર્યવાહી કરવા અને મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માગ કરી હતી
પરિમલ નથવાણીએ દુ:ખ વ્યક્ત કર્યું
અતુલ ચગના આપઘાત મામલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે, હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છું તેમણે કહ્યું હતું કે, ગીર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાતજનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. નથવાણી ઉમેર્યું હતું કે, લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે.
ગહન તપાસ અંગે ગૃહ મંત્રીને કરી વિનંતી
તેમણે જણાવ્યું હતું કે, સ્વ. ડો. અતુલ ચગની સુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને ગૃહ મંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું.
શું હતો સમગ્ર મામલો?
ગત તારીખ 12 ફેબ્રુઆરી ના રોજ વેરાવળના નામાંકિત તબીબ ડોક્ટર અતુલ ચગે હોસ્પિટલના ઉપરના માળે ગળેફાંસો ખાઈ જીવણ ટૂંકાવી લીધું હતું. જે મામલે સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યાંથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. પોલીસે મૃતકની સુસાઈડ નોટ સંદર્ભે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ