બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health news list of nuts to eat in high sugar and which dry fruit is not good for diabetes
શારીરિક વ્યાયામ ઓછો હોવા અને ખરાબ ભોજનના કારણે ડાયાબિટીસના દર્દી ઝડપથી વધી રહ્યા છે. એક અનુમાન અનુસાર ભારતમાં 2045 સુધી 13.5 કરોડ લોકો ડાયાબેટિક હોઈ શકે છે. ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સૌથી વધારે ઝડપથી વધી રહી છે. તેનું મોટુ કારણ લાઈફસ્ટાઈલ અને ઓછી ફિઝિકલ એક્ટિવિટી બની રહે છે. ડાયાબિટીસમાં ઈંસુલિન ઓછુ બને છે જેનાથી આંખ, કિડની અને હાર્ટ પર ખરાબ અસર પડે છે.
ADVERTISEMENT
.jpg)
એવામાં ડાયાબિટીસના દર્દીને બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે ડાયેટનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો વધારે શુગર વાળી વસ્તુઓ ખાવામાં આવે તો તરત બ્લડ શુગર હાઈ થઈ જાય છે. મોટાભાગે ડાયાબિટીસના દર્દી ડ્રાયફ્રૂટ્સને લઈને કંફ્યૂઝ રહે છે કે શું ખાવું અને શું નહીં. જાણો શુગરમાં કયા ડ્રાય ફ્રૂટ્સ ન ખાવા જોઈએ?
ADVERTISEMENT
શુગરમાં ન ખાવા જોઈએ આ ડ્રાય ફ્રૂટ્સ
સુકી દ્રાક્ષ
શુગરના દર્દીને સુકી દ્રાક્ષ ન ખાવી જોઈએ. તે ગળી હોય છે જેના કારણે બ્લડ શુગર ઝડપથી વધી શકે છે. એવામાં સુકી દ્રાક્ષનું સેવન ડાયાબિટીસમાં હાનિકારક માનવામાં આવે છે.
અંજીર
અંજીર ભલે ફાઈબરથી ભરપૂર સુકો મેવો છે પરંતુ આ ખૂબ જ ગળ્યું હોય છે જેનાથી બ્લડ શુગર વધી શકે છે. એક કપ અંજીરમાં લગભગ 29 ગ્રામ ખાંડ હોય છે જે ડાયાબિટીસના દર્દીનું બ્લડ શુગર હાઈ કરી શકે છે.
ADVERTISEMENT
ખજૂર
ડાયાબિટીસમાં ખજૂર ન ખાવી જોઈએ. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર બ્લડ શુગર કંટ્રોલમાં હોય અને જો તમે ખૂબ ફિઝિકલ એક્ટિવિટી કરતા હોવ તો ક્યારેક મિઠાસ માટે થોડી ખજૂર ખાઈ શકો છો.

ADVERTISEMENT
શુગરમાં કયા ડ્રાય ફ્રૂટ ખાવા જોઈએ?
અખરોટ
ડાયાબિટીસના દર્દીને ડાયેટમાં અખરોટ જરૂર ખાવા જોઈએ. અખરોટમાં વિટામિન ઈ હોય છે કેલેરી ખૂબ ઓછી હોય છે. અખરોટ ખાવાથી ટાઈપ 2 ડાયાબિટીસના ખતરાને ઓછુ કરી શકાય છે. ત્યાં જ કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.
બદામ
હેલ્થ એક્સપર્ટ્સ ડાયાબિટીસમાં બદામ ખાવાની સલાહ આપે છે. ડાયાબિટીસના રોગીઓ માટે બદામ સૌથી સારૂ ડ્રાયફ્રૂટ છે. બદામ ખાવાથી શરીર ઈંસુલિન પેદા કરવા માટે ટ્રિગર થાય છે અને બ્લડ લેવલ ઓછુ થાય છે.
ADVERTISEMENT
પિસ્તા
શુગરના દર્દી માટે પિસ્તા પણ ફાયદાકારક હોય છે. પિસ્તામાં ફાઈબર, વિટામિન સી, ઝિંક, કોપર, પોટેશિયમ, આયરન, પ્રોટીન, કેલ્શિયમ મળી આવે છે. જેનાથી શરીર હેલ્ધી રહે છે અને બ્લડ શુગર પણ કંટ્રોલ રહે છે.
ADVERTISEMENT
કાજુ
ડાયાબિટીસમાં કાજુ પણ મર્યાદીત પ્રમાણમાં ખાઈ શકો છો. એક રિપોર્ટ અનુસાર કાજૂ ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. કાજુ હાઈ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને હાર્ટની બીમારીના ખતરાને પણ ઓછુ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.