બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health benefits of chilies this spicy spice can boost metabolism immunity loss weight
Arohi
Last Updated: 08:23 AM, 23 February 2024
દરેક કિચનમાં મરચુ એક જરૂરી ઈંગ્રેડિએન્ટ છે. સ્વાદમાં તીખાસ લાવવા માટે લોકો મરચાનો ઉપયોગ કરે છે. પરંતુ જે લોકો સ્પાઈસી વસ્તુઓને અનહેલ્ધી માને છે તેમને જણાવી દઈએ કે મરચામાં ઘણા એવા ગુણ હોય છે જેના કારણે તેને સુપરફૂડની કેટેગરીમાં મુકવામાં આવ્યું છે. આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જાણો તેના 5 મોટો ફાયદા વિશે.
મરચુ ખાવાના ફાયદા
ઈમ્યૂનિટી કરે છે બૂસ્ટ
એક સંશોધન અનુસાર મરચામાં ઓરેંજની તુલનામાં ખૂબ વધારે વિટામિન સી મળી આવે છે. જે તમારી ઈમ્યૂનિટીને વધારવા અને કોઈ પ્રકારના સંક્રમણથી બચાવવામાં મદદ કરી શકે છે. આ રીતે જો તમે બીમાર થવાથી બચવા માંગો છો તો વિટામિન-સી માટે ડાયેટમાં મરચાને જરૂર શામેલ કરો.
હાર્ટને રાખે છે હેલ્ધી
ઘણા લોકો માને છે કે મરચથી હાર્ટ બર્ન જેવી સમસ્યાઓ થાય છે અને હાર્ટમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ ધારણા ખોટી છે. હકીકતે જ્યારે તમે મરચુ ખાઓ છો તો આ શરીરમાં હાજર મોટાભાગના સોજાને ઓછો કરી શકે છે જેનાથી હાર્ટ ડિઝીઝનો ખતરો ઓછો થઈ શકે છે.
મેટાબોલિઝમ કરે છે બૂસ્ટર
આ તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું કામ ખૂબ જ સરળતાથી કરે છે. જેથી તમે વારંવાર ભૂખ લાગવાની મુશ્કેલીથી બચી રહો છો અને તમને લાંબા સમય સુધી ફૂડ ક્રેવિંગ નથી થતી. આ રીતે તમે મરચાની મદદથી વજન ઓછુ કરી શકો છો.
દુખાવામાં રાહત
મરચામાં કેપ્સાઈસિન તત્વ હોય છે જેના કારણે આ સેન્સીટીવિટીને તરત દૂર કરે છે. આ નર્વને પ્રભાવિત કરે છે અને દુખાવાનો અનુભવ નથી થવા દેતુ. એક અભ્યાસમાં મળી આવ્યું છે કે જ્યારે છાતીમાં દુખાવા વાળા લોકોને દરરોજ 2.5 ગ્રામ લાલ મરચુ આપવામાં આવે તો 5 અઠવાડિયા બાદ શરૂઆતમાં દુખાવો વધ્યો પરંતુ સમયની સાથે સુધાર જોવા મળ્યો.
હકીકતે મરચામાં હાજર કેપ્સાઈસિન કમ્પાઉન્ડ પોતાના દુઃખ નિવારણ ગુણો માટે જાણીતો છે અને આ દુખાવાને ઓછો કરી સોજાને ઓછો કરવાનું કામ કરે છે જેનાથઈ મસલ્સમાં દુખાવો અને સોજામાં આરામ મળે છે.
એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર
મરચામાં કેપ્સેન્થિન મળી આવે છે જે એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ શરીરમાં કોઈ પણ પ્રકારના સોજાને ઓછો કરી શકે છે અને કેન્સરથી પણ પ્રોટેક્ટ કરવામાં મદદ કરી શકે છે. તેના ઉપરાંત અમુક મરચામાં ન્યૂરોમસ હેલ્થને સારી કરવામાં મદદ કરે છે. આટલું જ નહીં તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ આઈ સાઈટને પણ ઈંપ્રૂવ કરવાનું કામ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army