બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Health Minister's big statement after the Center's virtual meeting
Malay
Last Updated: 02:14 PM, 7 April 2023
કોરોના વાયરસને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. કોરોના વાયરસને લઈને આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ વર્ચ્યુઅલી સામેલ થયા હતા. સાથે જ આ બેઠકમાં આરોગ્ય વિભાગ, નીતિ આયોગ, NTAGIના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ નવા વેરિઅન્ટને ફેલાવતા અટકાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ભારત વિશ્વમાં કોરોના બાબતે સતર્ક છે. ગુજરાતમાં વર્તમાન સમયમાં 2142ની આસપાસ કોરોના વાયરસના એક્ટિવ કેસ છે. અત્યારે XBB1.6 વેરિઅન્ટનો સબવેરિએન્ટ છે, તે અત્યારે ઘાતક દેખાતો નથી. પરંતુ XBB1.6નો ફેલાવો વધારે છે. કો મોર્બીડ દર્દી અને સિનિયર સિટિઝનઓ પર વિશેષ ધ્યાન આપવું તેવી મહત્વની સૂચના કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા દ્વારા આપવામાં આવી છે.
હોસ્પિટલોમાં યોજાશે મોકડ્રીલ
તેમણે જણાવ્યું કે, આગામી 10, 11 એપ્રિલે રાજ્યની તમામ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલમાં અધિકારીઓ દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવશે અને ઓક્સિજન, વેન્ટીલેટર, દવાનો જથ્થો અને સ્ટાફની માહિતી મેળવવા માટે આવશે.
.. તાત્કાલિક સારવાર કરાવી દેવી જોઈએ શરૂઃ ઋષિકેશ પટેલ
તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવવા ખાતરી આપી છે. તેમણે અપીલ કરતા કહ્યું કે, ઉંમરલાયક વ્યક્તિઓમાં જો કોરોનાના લક્ષણો જણાય તો કોરોના ટેસ્ટ કરાવી તાત્કાલિક સારવાર શરૂ કરાવી દેવી જોઈએ.
ગુજરાતમાં કોરોની સ્થિતિ
રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં 24 કલાકમા 327 કેસ નોંધાયા છે. અમદાવાદમા 98 કેસ તેમજ વડોદરામાં 60 કેસ નોંધાયા છે. સુરતમાં 37, મહેસાણામાં 24 મોરબીમાં 12 કેસ નોંધાયા છે. વલસાડમાં 12 તેમજ સુરતમાં 27 કેસ નોંધાયા છે. પાટણમાં 7 અને આણંદમાં 6 તેમજ સાબરકાંઠામાં 6 કેસ નોંધાયા છે.અમદાવાદમાં કોરાનાથી એકનું મોત થયું છે. એક્ટિવ કેસની સંખ્યા 2142 પર પહોંચી છે જ્યારે વેન્ટીલેટરમાં 11 દર્દીઓ છે.
ગુજરાત કોરોના અપડેટ | આજે નવા 327 કોરોના કેસ, કુલ 2142 એક્ટિવ દર્દી, 11 વેન્ટિલેટર પર તો અમદાવાદમાં 95 કેસ અને એકનું મોત#Gujarat #Corona #vtvgujarati pic.twitter.com/Chehhl0max
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 6, 2023
263 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 327કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે. તેમજ 260 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2142 કોરોનાના એક્ટિવ કેસ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir