બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health know the side effects of skipping breakfast
Manisha Jogi
Last Updated: 03:06 PM, 18 December 2023
ઘણીવાર લોકો સવારે ઉતાવળમાં નાસ્તો કરવાનું છોડી દે છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે, નાસ્તો ના કરવાથી કંઈ નુકસાન થતું નથી. સવારે નાસ્તો ના કરવાથી આરોગ્ય પર ખૂબ જ ગંભીર અસર થાય છે. નાસ્તો ના કરવાથી આરોગ્યને શું નુકસાન થઈ શકે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
વજન વધવું- સવારનો નાસ્તો- સવારે ઉઠ્યા પછી નાસ્તો કરવાથી શરીરને એનર્જી મળે છે. સવારે નાસ્તો કરવામાં ના આવે તો આખા દિવસમાં વધુ ચરબીયુક્ત અને શુગરયુક્ત ફૂડ ખાવાની ઈચ્છા થશે, જેના કારણે વજન વધે છે. જેથી સવારે નાસ્તો કરવામાં ના આવે તો વજન ઘટવાને બદલે વધી શકે છે.
એનર્જી રહેતી નથી- આખી રાત ભૂખ્યા રહેવાથી શરીરનું એનર્જી લેવલ ઓછું થઈ જાય છે. સવારનો નાસ્તો ના કરવાને કારણે શરીરને એનર્જી મળતી નથી અને નબળાઈ લાગે છે. ઊર્જાના અભાવને કારણે આખો દિવસભર થાક લાગી શકે છે.
ચિડીયાપણું- સવારે નાસ્તો કરવાથી તમારા શરીરને ગ્લુકોઝ મળી રહે છે, જે શરીરમાં બ્લડ શુગર લેવલ જળવાઈ છે. નાસ્તો ના કરવાને કારણે બ્લડ શુગર લેવલ ઘટી શકે છે, જેના કારણે સ્ટ્રેસ હોર્મોન્સ વધી શકે છે. જેથી મૂડ બગડે છે, ચીડિયાપણું લાગે છે. જેના કારણે તમને ગુસ્સો પણ આવી શકે છે, જે આરોગ્ય માટે હાનિકારક છે.
પોષકતત્ત્વોની ઊણપ- સવારનો નાસ્તો કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. નાસ્તો ના કરવાને કારણે શરીરમાં પોષક તત્ત્વોની ઉણપ થઈ શકે છે, જેથી બિમારી થવાનું જોખમ વધી જાય છે. ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાની શક્યતા પણ વધી જાય છે.
હ્રદયરોગનું જોખમ- હેલ્ધી હાર્ટ માટે સવારનો નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે. સવારે નાસ્તો ના કરવાથી મેદસ્વીતા, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. સવારનો નાસ્તો ના કરવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime