બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health experts say that fatigue, anger and irritability start to feel
Kishor
Last Updated: 10:02 PM, 26 January 2024
શરીરને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ આહાર અને નિયમિત વ્યાયામ કરવાની સાથે રોજ રાતે સારી ઉંઘ લેવાની પણ જરૂર પડે છે. મોટા ભાગના સર્વેમાંથી જાણવા મળ્યું છે કે રાતના 6-8 કલાકની ઉંઘ કરવી દરેક લોકો માટે જરૂરી છે.આ ઉંઘ કરવાથી માત્ર માનસિક શાંતિ જ નથી મળતી પણ સાથે સાથે બ્લડ પ્રેશર, હાર્ટ રેટ પણ કંટ્રોલ થાય છે. પણ શું તમે જાણો છો કે સારી ઉંઘ કેવી રીતે મેળવી શકાઈ છે.
રાતની સારી ઉંઘ લેવામાં આપણને મદદ કરે છે
સ્વાસ્થય વિશેષજ્ઞ કહે છે સારી અને આરામદાયક ઉંઘ લેવા માટે મેલાટોનિનની જરૂર પડે છે. જે ઉંઘ મેળવવા માટેનો એક હોર્મોન છે. આપણુ શરીર પ્રાકૃતિક રૂપથી આ હોર્મોનનું ઉત્પાદન કરે છે. જ્યારે બહાર અંધારૂ થવા લાગે છે. ત્યારે શરીરમાં મેલાટોનિનનું ઉત્પાદન થવા લાગે છે. સારી રાતની ઊંઘ મેળવવાની સાથે, મેલાટોનિન પણ આપણા માટે ઝડપથી ઊંઘી જવાનું અને રાતની સારી ઉંઘ લેવામાં આપણને મદદ કરે છે.
ઉંઘના અભાવે શરીરમાં આ સમસ્યાઓ થવા લાગે છે
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવુ છે કે જો તમને રાતે યોગ્ય ઉંઘ ન આવે તો બીજા દિવસે તને થાક, ગુસ્સો અને ચીડિયાપણુનો અનુભવ થવા લાગે છે અને જો દરરોજ રાતે સરખી ઉંઘ ન આવે તો તે આપણા સ્વાસ્થય પર અસર કરે છે. જેથી મહત્વનું એ છે કે આપણે હંમેશા સારી ઉંઘ મેળવવા માટે પ્રયાસ કરવો જોઈએ. આપણે કેટલાક ઉપાયોને ધ્યાનમાં રાખીને કુદરતી રીતે શરીરમાં મેલાટોનિનનું સ્તર જાળવી શકીએ છીએ.
તડકો છે શરીર માટે જરૂરી
આપણે વિટામીન ડી મેળવવા માટે દરરોજ તડાકામાં કેટલોક સમય વિતાવવો જોઈએ. જે તમારા શરીરમાં મેલાટોનિન વધારવામાં મદદ કરે છે. સવારે ઓછામાં ઓછા 15 મિનિટ તડકામાં રહેવુ જોઈએ. જે મેલાટોનિનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેનાથી તમને રાતે સારી ઉંઘ મળે છે.તડકાના સંપર્કમાં રહેવાથી કેટલાક પોષક તત્વોના સ્તરને પણ વધારે છે. જે તમને સારી ઉંઘ અપાવે છે.
સુતા સમયે રૂમમાં અંધારૂ રાખવુ
સારી ઊંઘ મેળવવા અને મેલાટોનિનના સ્તરને સુધારવા માટે આપણે જ્યારે સુવા માટે જઈએ ત્યારે રૂમનું યોગ્ય વાતાવરણ હોવું પણ જરૂરી છે. રૂમમાં અંધારૂ હોય અને શાંતિ હોય તો મેલાટોનિનનું ઉત્પાદન સુધરે છે અને ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. રૂમમાં અંધારુ રાખવાથી ઉંઘમાં પણ ખલેલ પહોંચતી નથી.
સ્ક્રીન ટાઈમ ઓછો કરવો
તમે મોબાઈલ અને લેપટોપ પરનો સ્ક્રીન ટાઈમ ઘટાડીને સારી ઉંઘ મેળવી શકો છો. સુવાના એક કલાક પહેલા તમારે ડિજિટલ ઉપકરણોથી દુર રહેવુ જોઈએ. કારણ કે આ ઉપકરણોમાંથી નીકળો વાદળી પ્રકાર આપણા મેલાટોનિન પર અસર કરે છે. જેથી આપણે આપણો સ્ક્રીન ટાઈમ ઘટાડવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime