બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Bijal Vyas
Last Updated: 05:50 PM, 18 June 2023
Health benefits of eating garlic: રસોઇ બનાવતી વખતે ભોજનના સ્વાદમાં વધારો કરવા માટે મહિલાઓ લસણનો વગાર જરુરથી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે લસણ ફક્ત સ્વાદને જ નથી વધારતુ તે હૃદયના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. અત્યારની વ્યસ્ત લાઇફસ્ટાઇલના કારણે એક્સરસાઇઝ માટે ટાઇમ કાઢી શકતા નથી,જેના પરિણામે શરીરમાં વધારે ચરબી જમા થાય છે. જેનાથી લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા વધવા લાગે છે અને વ્યક્તિ ઝડપથી થાકનો અનુભવ કરે છે. પરિણામે હૃદય સંબંધિત બીમારીનો ભય વધે છે.
એક રિસર્ચ અનુસાર, રસોડામાં મળતુ લસણ કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવાની સાથે હાર્ટ ડિસીજથી બચવામાં મદદ કરે છે. લસણમાં હાજર ઇમ્યુન બુસ્ટિંગ, એન્ટી-ઇફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણોના કારણે હૃદય સ્વસ્થ બને છે. તો આવો જાણીએ કે લસણનું સેવન કરવાથી શું લાભ થાય છે...
લસણના સેવનથી થતા ફાયદાઃ
1. લોહીમાં ગાંઠો નથી જામતીઃ લસણના નિયમિત સેવનથી વ્યક્તિના શરીરમાં લોહીના ગઠ્ઠા કે ગાંઠો (થ્રોમ્બોએમ્બોલિઝ્મ) જામતુ નથી.
2. બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલઃ લસણનો અર્ક લોહીના દબાણને નિયત્રિત રાખવામાં મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે હાઇ બીપી હૃદય રોગનું કારણ બની શકે છે, તેથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે લસણનું સેવન નિયમિત કરો.
3. કોલેસ્ટ્રોલ રહેશે કંટ્રોલમાંઃ બોડીમાં જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલ નસોમાં જમા થઇને લોહીના પ્રવાહને ઘટાડી શકે છે. જેનાથી તમારા હૃદય પર વધારે દબાણ પડી શકે છે. જ્યારે લસણના સેવનથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
4. ટેન્શનથી છુટકારોઃ લસણના નિયમિત સેવનથી તણાવ ઘટી શકે છે. ઘણી વખત પેટમાં અમુક એવા એસિડ બને છે, જેનાથી વ્યક્તિ ઘભરાવા લાગે છે. તેવામાં લસણ આ રીતના એસિડને બનવાથી રોકવાની સાથે માથામાં દુખાાવો, હાઇપર ટેન્શન જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
કેવી રીતે લસણને ડાયેટમાં સામેલ કરવું?
આ વાતોનું ખાસ ધ્યાન રાખો
જે લોકોને પેટ સાથે જોડાયેલી કોઇ સમસ્યા જેમકે આંતરડામાં નબળાઇ, લીવરમાં પ્રોબ્લેમ તેઓએ લસણનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરુરથી લેવી. આ ઉપરાંત જો તમે લાબા સમયથી કોઇ દવાનું સેવન કરી રહ્યા હોય તો લસણનું સેવન વધારે ના કરવુ સાથે ડોક્ટરની સલાહ જરુરથી લેવી.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir