બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / Gyanvapi case: Allahbad highcourt permitted carbon dating of shivling to ASI
Vaidehi
Last Updated: 05:55 PM, 12 May 2023
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનાં મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. HCએ ASI ભારતીય પુરાત્તવ સર્વેક્ષણને કેમ્પસમાં મળી આવેલ શિવલિંગની કાર્બન ડેટિંગ કરવાની પરવાનગી આપી દીધી છે. જો કે સ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારનું નુક્સાન ન પહોંચે તેવા આદેશો પણ આપવામાં આવ્યાં છે.અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં સર્વે દરમિયાન મળી આવેલા શિવલિંગની કાર્બન ડેટિંગ તપાસ અને સાયન્ટેફિરક સર્વેની માંગ કરતી અરજી સ્વીકારી લીધી છે અને ASIને કોઈપણ પ્રકારનું નુક્સાન પહોંચાડ્યાં વિના શિવલિંગની કાર્બનડેટિંગ તપાસ કરવાનાં આદેશ આપ્યાં છે.
વારાણસી જિલ્લા કોર્ટે ફગાવી હતી અરજી
આ પહેલા વારાણસીની જિલ્લા કોર્ટે કાર્બન ડેટિંગની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ગતવર્ષે જ્ઞાનવાપી પરિસરમાં કમીશનની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 16 મે 2022નાં રોજ કેમ્પસમાં કથિત ધોરણે શિવલિંગ મળી આવ્યું હતું. આ શિવલિંગનું ASIથી સાઈન્ટિફિક સર્વે કરાવવાની માંગને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી.
હાઇકોર્ટે પૂછ્યું હતું, નુકસાન પહોંચાડ્યા વગર કાર્બન ડેટિંગ કરી શકાશે?
નોંધનીય છે કે આ જ અરજી પર રાજ્ય સરકાર તરફથી પણ પક્ષ રાખવામાં આવ્યો હતો, કોર્ટે કેન્દ્ર સરકારના અધિવક્તાને સવાલ કર્યો હતો કે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વગર શું કાર્બન ડેટિંગ કરી શકાશે?
કાર્બન ડેટિંગની મદદથી શિવલિંગ કેટલા વર્ષ જૂનું છે તેની જાણકારી મળી શકશે. હાઇકોર્ટના સવાલ પર ASIએ કહ્યું હતું કે હા, નુકસાન પહોંચાડ્યા વગર કાર્બન ડેટિંગ શક્ય છે.
SCએ શું આદેશ આપ્યા હતા?
નોંધનીય છે કે જ્ઞાનવાપી પરિસરમાં કમિશન કાર્યવાહી કરવામાં આવી ત્યારે 16 મે 2022ના રોજ પરિસરની અંદર જ શિવલિંગ જેવુ સ્થાપત્ય મળી આવ્યું જેમાં હિન્દુ પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો કે આ શિવલિંગ જ છે. જે બાદ તપાસને લઈને માંગ કરવામાં આવી, જોકે સુપ્રીમ કોર્ટે તે સમયે યથાસ્થિતિને યથાવત રાખવા માટેનો આદેશ આપ્યો હતો. હાલ આ કેસમાં સુપ્રીમ કોર્ટ સુનાવણી પણ કરી રહી છે.
કાર્બન ડેટિંગ એટલે શું?
કોઈ પણ અવશેષની કાર્બન ડેટિંગ કરી શકાય છે, જેમ કે હાડકાં, લાકડું, કોલસો વગેરે. કાર્બન ડેટિંગની મદદથી જે તે વસ્તુ કેટલા વર્ષ જૂની છે તે જાણી શકાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir