બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Arohi
Last Updated: 12:26 PM, 28 September 2023
આજે ગુરૂવાર છે આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. ધાર્મિક રીતે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી લોકોની સમસ્યાઓ દૂર થઈ જાય છે.
જ્યોતિષ અનુસાર ગુરૂવારના દિવસે અમુક કામ કરવામાં નથી આવતા. જો તમે ગુરૂવારે આ કામ કરો છો તો તેનાથી લક્ષ્મીજી અને બૃહસ્પતિ નારાજ થઈ શકે છે અને જીવનમાં સમસ્યાઓ આવી શકે છે.
ગુરૂવારે ન કરવા જોઈએ આ 5 કામ
વાળ ન કાપો
જ્યોતિષ અનુસાર ગુરૂવારના દિવસે લોકોને વાળ ન કપાવવા જોઈએ. આ દિવસે માથા અને દાઢીના વાળ ન કાપવા જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે અને સંતાન સુખમાં સમસ્યા આવી શકે છે. મહિલાઓને ગુરૂવારના દિવસે વાળ ન ધોવા જોઈએ અને સાબુ શેમ્પુનો ઉપયોગ ન કરવો જોઈએ. આજના દિવસે નખ પણ ન કાપવા જોઈએ.
કેળાનું સેવન ન કરો
ગુરૂવારના દિવસે કેળાનું સેવન ન કરવું જોઈએ. ગુરૂવારના દિવસે જો તમે બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુની પૂજ કરો છો તો કેળાનું સેવન ભુલથી પણ ન કરો. આ દિવસે કેળાના ઝાડની પૂજાનું ખાસ મહત્વ છે. આ દિવસે કેળુ ખાવાથી તમારી ધન-સંપત્તિને નુકસાન થઈ શકે છે અને તમને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ઘરમાં ન લગાવો પોતુ
જ્યોતિષ અનુસાર ગુરૂવારના દિવસે ઘરમાં પોતુ કરવું અને જાળા સાફ કરવા અશુભ માનવામાં આવે છે. ગુરૂવારના દિવસે કપડા ધોવા, પોતુ કરવાથી કુંડળીમાં ગુરૂની સ્થિતિ પર ખરાબ અસર પડે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. તેનાથી તમને શારીરિક અને આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
પૈસાની લેવડ દેવડ
જ્યોતિષ આચાર્ય અનુસાર ગુરૂવારના દિવસે પૈસાની લેવડ દેવડ ન કરો. આમ કરવાથી કુંડળીમાં ગુરૂ કમજોર થઈ જાય છે અને આર્થિક સ્થિતિ નબળી પડે છે. આમ કરવાથી ધન સંબંધી મુશ્કેલીઓ પણ વધે છે અને તમારા પ્રગતિમાં મુશ્કેલી આવી શકે છે. એવામાં પૈસાની લેવડ-દેવડ સમજી વિચારીને કરો.
ગુરૂનું અપમાન
ગુરૂવારના દિવસે અજાણતા પણ પિતા, ગુરૂ કે કોઈ સાધુ સંતોનું અપમાન ન કરો. આ બધા દેવતાઓના ગુરૂ બૃહસ્પતિનું પ્રતિનિધિત્વ કરે છે. માટે તેમનું અપમાન કરવાથી બૃહસ્પતિ નારાજ થઈ જાય છે અને વ્યક્તિને અલગ અલગ પ્રકારના કષ્ટ આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir