બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / ભારત / Gujarati people who want to take UK student visa should know: Strict rules have been implemented
Megha
Last Updated: 10:28 AM, 2 January 2024
વિદેશ ભણવા જતાં અને જવાનું વિચારી રહેલ લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રિટન એટલે કે યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમો શરૂ કરનાર ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓ હવે તેમના પરિવારના સભ્યોને બ્રિટનમાં લાવી શકશે નહીં.
From today, the majority of foreign university students cannot bring family members to the UK.
— Rishi Sunak (@RishiSunak) January 1, 2024
In 2024, we’re already delivering for the British people. https://t.co/m0TcSaxK9V
બ્રિટિશ સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય યુકેમાં કામ કરવા માટે બેકડોર તરીકે સ્ટુડન્ટ વિઝાનો ઉપયોગ કરતા લોકો પર કડક કાર્યવાહી કરવાનો છે. જણાવી દઈએ કે આ કડક નિયમોના કારણે અંદાજે 140,000 ઓછા લોકો બ્રિટન આવશે. આ નિયમ સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ શિષ્યવૃત્તિ અભ્યાસક્રમો અને યુકેના વિઝા ધોરણો હેઠળ અનુસ્નાતક સંશોધન અભ્યાસક્રમો સિવાયના તમામને સોમવારથી લાગુ થશે.
વાંચવા જેવુ: અમેરિકામાં રહેતા ભારતીયો માટે ખુશીના સમાચાર, હવે મળશે આ મોટો ફાયદો, ખિસ્સા છલકાઈ જશે
બ્રિટનના ગૃહ મંત્રી જેમ્સ ક્લેવરલીએ વિદેશી વિદ્યાર્થીઓને આશ્રિતોને લાવવાની આ પ્રથાને 'ખોટી પ્રથા' ગણાવી હતી તે પછી આ કડક નિયમોને ઘટાડા તરીકે જોવામાં આવી રહ્યા છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે 2019 થી આશ્રિતોને લાવવામાં આવતા વિદેશી વિદ્યાર્થીઓના દરમાં 930 ટકાથી વધુનો વધારો થયો છે.
તેમણે કહ્યું કે આનાથી સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થશે અને ત્રણ લાખ લોકોને બ્રિટન આવતા રોકવાની અમારી વ્યૂહરચના કરવામાં મદદ મળશે. બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) એ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2023માં પૂરા થયેલા વર્ષમાં વિદ્યાર્થીઓના આશ્રિતોને 152,980 વિઝા આપવામાં આવ્યા હતા, જ્યારે સપ્ટેમ્બર 2019 સુધીના વર્ષમાં માત્ર 14,839 વિઝા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ