ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટીસ બેન્ચના જસ્ટીસ જે બી પારડીવાલા અને જસ્ટીસ એ સી રાવએ સેક્શન ૮૩ GST એકટ મુદ્દે ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે વિશેષ સંજોગોમાં જેમાં રેવન્યુ વિભાવના હિતો જોખમમાં મુકાતા હોય તેના સિવાય એસેસમેન્ટ ઓર્ડર વગર વ્યક્તિ કે કંપનીની મિલકતો અને બેંક ખાતાઓ સીઝ કરી દેવા તે આ કલમનો દુરુપયોગ છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ મુદ્દે વિશ્વાસપાત્ર માહિતી અને તેના સપોર્ટીંગ દસ્તાવેજો ન મળે તે છતાં પણ વેપારીને હેરાન કરવો એક પ્રકારનો ત્રાસ છે. આમ થવાથી લાંબા ગાળે ધંધા પર પ્રતિકુળ અસરો આવી શકે છે. સેક્શન ૮૩ એ અધિકારીઓને ઘણો મોટી સત્તા આપી રહ્યું છે આથી તેનો ઉપયોગ વિવેકબુદ્ધિ પૂર્વક અને મજબુત પુરાવા મળે ત્યાર પછી જ થાય એ ખુબ જરૂરી છે.
ADVERTISEMENT
.jpg)
ADVERTISEMENT
સેક્શન ૮૩ એ રેવન્યુ વિભાગને નોટીસ પાઠવ્યા વગર વ્યક્તિની સંપત્તિ સીઝ કરવા અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની સત્તા આપે છે.
ADVERTISEMENT
રેવન્યુ વિભાગે વડોદરાની એક પેઢીની ૧.૬૦ કરોડની બેંક એકાઉન્ટ અને સંપત્તિ ઉપરાંત ૩૦.૫૫ લાખની ઈનપુટ ટેક્સ ક્રેડીટ્સ GST એકટ અંતર્ગત બ્લોક કરી દીધી હતી જે બાબતને એ પેઢી એ કોર્ટમાં પડકારી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો