બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Gandhinagar Corporation has changed the recruitment rules for clerks, 12 pass, graduation educational qualification
Last Updated: 04:34 PM, 27 January 2024
ADVERTISEMENT
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને ઉપયોગી સમાચાર ધ્યાને આવ્યા છે. અત્રે જણાવીએ કે, રાજ્યમાં વિવિધ ભરતી પરીક્ષા પદ્ઘતિમાં ફેરફાર કરાયો છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશને પણ કલાર્કની ભરતીના નિયમમાં ફેરફાર કર્યો છે. 12 પાસની જગ્યાએ હવે સ્નાતક ઉમેવાદરની જ ભરતી કરવામાં આવશે. જો કે, ગૌણ સેવા પસંદગી દ્વારા આ નિયમ અગાઉ લાગૂ કરી દેવાયો છે, સાથો સાથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષામાં પણ આ નિયમ લાગૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશને પણ ક્લાર્કની ભરતી માટે ગેજ્યુએશનની લાયકાત નક્કી કરી છે
ADVERTISEMENT
શૈક્ષણિક લાયકાતમાં ફરેફાર
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વર્ગ-3ની મોટા ભાગની ભરતી 12 પાસ લાયકાત ધરાવતા ઉમેદવારોની થતી હતી. પરંતુ હવે નિયમમાં ફેરફાર કરીને 12 પાસની જગ્યા સ્નાતક ઉમેદવારોની ભરતીની પરીક્ષા નક્કી કરવામાં આવી રહી છે. જે નવા નિયમ પ્રમાણે જે પણ ગ્રેજ્યુએટ હશે તે આ નિયમ પ્રમાણે પરીક્ષા આપવા માટે અરજી કરી શકશે અને પરીક્ષા આપી શકશે.આ મહત્વપૂર્ણ નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે.જેના પગલે પહેલા કરતા ઉમેદવારોની સંખ્યામાં પણ થોડો ઘટાડો થઈ શકે છે.
વાંચવા જેવું: 2024ની ચૂંટણી માટે BJPએ વિજય રૂપાણી અને પૂર્ણેશ મોદીને જુઓ કયા રાજ્યની આપી જવાબદારી
ADVERTISEMENT
વય મર્યાદામાં પણ ફેરફાર કરાયો
શૈક્ષણિક લાયકાતની સાથો સાથ લઘુતમ વય મર્યાદામાં પણ ફેરફાર કરાયો છે. આપને જણાવીએ કે, વય મર્યાદા 20 વર્ષથી વધારીને 35 વર્ષ કરાઈ છે. જે નિયમોમાં ફેરફાર મુદ્દે ગાંધીનગર કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. હવે કલાર્કની ભરતી નવા નિયમ મુજબ કરવામાં આવશે
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.