બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Four incidents of fire in the state came to light today
Dinesh
Last Updated: 07:34 PM, 19 February 2024
રાજ્યમાં આગ લાગવાની આજે ચાર ઘટના સામે આવી છે. અત્રે જણાવીએ કે, ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે પરંતુ આ વખતે તો ઉનાળા પહેલા જ આગના બનાવો વધી રહ્યાં હોય તેવું ધ્યાને આવ્યું છે. આજે જૂનાગઢ, પાલનુપર, હિંમતનગર, ઉમરગામમાં આગની ઘટના બની છે. જેમાં પાલનપુરમાં લાગેલી આગે ભારે માલ સમાનને નુકસાન પહોંચાડ્યું છે.
પાલનપુર APMCની દુકાનોમાં આગ
પાલનપુર APMCની દુકાનોમાં આગ લાગ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. યાર્ડની 10 જેટલી દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.ઘટનાની જાણ થતા જિલ્લા કલેક્ટર અને પોલીસવડા સહિતના અઘિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. પાલનપુર, ડીસા, ઉંઝા અને બનાસડેરી સહિતના 7 ફાયર ફાઈટર લાગ્યા કામે હતા. આગને લઈને કલેક્ટર વરૂણ બરનવાલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. તંત્રએ તમામ મદદ પહોંચાડી છે. તો વેપારીનું કહેવું છે કે દુકાનોમાં રાયડો,દિવેલા સહિતના અનાજનો જથ્થો હોવાથી અંદાજે બે કરોડથી વધુ નુકસાનનું અનુમાન છે.
ઉમરગામના જંગલમાં લાગી આગ
વલસાડના ઉમરગામના જંગલ વિસ્તારમાં આગની ઘટના બની હતી. ઉમરગામના મલાવ વિસ્તારમાં આવેલ ફોરેસ્ટની જગ્યામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. આગ લાગતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. ઉમરગામ ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.
હિંમતનગરમાં પણ આગનો બનાવ
સાબરકાંઠાના હિંમતનગરમાં પણ આગ લાગવાની ઘટના બની છે. ટાવરચોક પરની દુકાનના ત્રીજા માળે આગ લાગી હતી. શોર્ટસર્કિટના લીધે આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
વાંચવા જેવું: 'મારુ અને મારુ પિતાનું નામ બસ નામ જણાવો' પરચીધારી બાબાને ભક્તની ચેલેન્જ, પછી જોવા જેવુ થયું
જૂનાગઢના ભેંસાણ રોડ પર આગનો બનાવ
જૂનાગઢમાં પણ અચાનક કાર સળગી ઉઠી હતી. વીજપોલ સાથે અથડાતા કારમાં આગ લાગી હતી. જો કે, સદનસીબે કારચાલકનો બચાવલ થયો છે. જણાવીએ કે, આ બનાવ ભેંસાણ રોડ પરનો છે
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh