બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fear of dogs in Bagsara's Samadhiya in Amreli

હદ થઇ ગઇ! / અમરેલીના સમઢિયાળામાં 3 જ દિવસમાં રખડતા શ્વાને 5 બાળકોને બચકા ભરી લીધાં, ગામમાં હાલ ભયનું વાતાવરણ

Malay

Last Updated: 10:31 AM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કેટલાક દિવસોથી શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. અમરેલીના સમઢિયાળામાં છેલ્લા ત્રણ દિવસામાં 5 બાળકોને રખડતા શ્વાનોએ બચકા ભર્યા છે. બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

  • અમરેલીમાં બગસરાના સમઢિયાળામાં શ્વાનોનો આંતક
  • સમઢિયાળા ખાતે ત્રણ દિવસમાં 5 બાળકોને બચકા ભર્યા 
  • શ્વાનોના આતંકથી સમઢિયાળા ગામમાં ભયનું વાતાવરણ

રાજ્યમાં રખડતા આખલા બાદ હવે શ્વાનનો ત્રાસ ચિંતાજનક હદે વધી ગયો છે. રસ્તે રખડતા શ્વાન પહેલા રાહદારીઓ કે ટુ-વ્હીલર ચાલકોની પાછળ દોડીને પરેશાન કરતા હતા, પરંતુ હવે તો ઘરના આંગણે રમતા બાળકો પણ શ્વાનના ત્રાસનો ભોગ બની રહ્યાં છે. ગુજરાતમાં શ્વાનનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ એક યા બીજા શહેરમાંથી શ્વાનના હુમલાના સમાચાર સામે આવતા રહે છે. અમરેલીના બગસરાના સમઢિયાળામાં શ્વાનોનો આતંક વધ્યો છે. સમઢિયાળા ખાતે ત્રણ દિવસમાં 5 બાળકોને શ્વાને બચકા ભર્યા છે.

Reason behind violent dogs and their angry behaviour

5 બાળકોને રખડતા શ્વાને બચકા ભર્યા
શ્વાનો દ્વારા એકલા નીકળતા બાળકો પર હુમલાઓ વધ્યા છે. સ્કૂલે જતા બાળકોને શ્વાનો નિશાન બનાવે છે. છેલ્લા ત્રણ દિવસમાં રખડતા શ્વાનોએ 5 બાળકો પર હુમલો કર્યા છે. જેમાંથી ત્રણ બાળકોને અમરેલી ખાતે અને એક બાળકને રાજકોટમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. શ્વાનોના આતંકથી સમઢિયાળા ગામમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સ્થાનિકો જલ્દી રખડતા શ્વાનને પકડવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે. 

 

મહિલાને ત્રણ કુતરાઓએ બચકા ભર્યા
ગત 27 માર્ચે સુરેન્દ્રનગરમાં એક મહિલા પર શ્વાનોના ટોળાએ હુમલો કર્યો હતો. શહેરના ભરતપરા વિસ્તારમાં રહેતી મહિલાને ત્રણ કૂતરાઓએ પકડી અને બંને પગે ઇજાઓ પહોંચાડી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મહિલાને બંને પગે ટાંકા લેવા પડ્યા હતા.

ઘરે કાળો કૂતરો પાળવો માનવામાં આવે છે શુભ, આ દેવી-દેવતાઓ થશે પ્રસન્ન,  ગ્રહ-દોષ થશે દૂર | Keeping a black dog at home is considered to be  auspicious these gods and goddesses will

શ્વાને 25 જેટલા બચકા ભરતા બાળકનું થયું હતું મૃત્યુ
આ પહેલા સુરતમાંથી પણ હાથના રુંવાડા ઉભા કરી નાખે એવો બનાવ સામે આવ્યો હતો. શહેરના ભેસ્તાન વિસ્તારમાં ઘરના આંગણે રમી રહેલા 6 વર્ષના બાળકને શ્વાને 25 બચકાં ભર્યા કર્યા હતા. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બાળકનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ